53 વર્ષ પહેલા ચંદ્ર પરથી લાવેલી માટી ખાધી હતી કોક્રોચએ, થવાની હતી હરાજી, પણ… જાણો આ અનોખી હરાજી વિશે

વંદો દ્વારા ખાવામાં આવેલી માટીની આ હરાજી આ કંપનીની દુર્લભ હરાજીઓમાંની એક છે. જોકે સ્પેસ એજન્સીએ બોસ્ટન સ્થિત 'આરઆર ઓક્શન'ને '1969 એપોલો 11' અભિયાન દરમિયાન એકત્રિત કરવામાં આવેલી મૂન ડસ્ટનું વેચાણ રોકવા માટે કહ્યું છે.

by kalpana Verat
NASA halts sale, wants back Apollo 11 moon dust fed to cockroaches

 News Continuous Bureau | Mumbai

અમેરિકાની એક ઓક્શન કંપની ચંદ્રની માટીની હરાજી કરી રહ્યું છે. આ ચંદ્રની માટી 1969માં એપોલો 11 મિશનના અવકાશયાત્રીઓ દ્વારા પૃથ્વી પર લાવવામાં આવી હતી. એપોલો 11 એ નાસાનું પ્રથમ અવકાશ મિશન હતું, જેમાં મનુષ્યોને પૃથ્વીની બહાર લઈ જવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે ચંદ્ર પરથી લાવવામાં આવેલી આ માટી એક વંદોનાં પેટમાંથી કાઢવામાં આવી હતી. તમે વિચારતા જ હશો કે ચંદ્રની માટી વંદો સુધી કેવી રીતે પહોંચી. વાસ્તવમાં, કોકરોચને આ માટી ખવડાવવામાં આવી હતી.

અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ચંદ્ર પર મનુષ્યને ઉતારવાના પ્રથમ મિશનની આગેવાનીમાં, વૈજ્ઞાનિકોને સંપૂર્ણ ખાતરી ન હતી કે અવકાશયાત્રીઓ શું સામનો કરશે. નિષ્ણાતોને આશંકા હતી કે ચંદ્ર પરથી પાછા ફર્યા પછી, એવું થઈ શકે છે કે અવકાશયાત્રીઓ અને પરત ફરેલા કોઈપણ પદાર્થોમાં બાહરી જંતુઓ અથવા મું બગ્સ હોઈ શકે છે, જે આગળ જતાં સમગ્ર પૃથ્વી માટે ખતરો બની જશે.

આ સમાચાર પણ વાંચો: વાસ્તુ ટિપ્સઃ સવારે આંખ ખોલતાની સાથે ભૂલથી પણ ના જોતા આ વસ્તુ, અશુભતા, ગરીબી અને પરેશાનીઓના છે સંકેત.

અવકાશયાત્રીઓને  ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા

આ ડરને કારણે, એપોલો 11 મિશનમાંથી પરત ફરેલી તમામ વસ્તુઓ સહિત અવકાશયાત્રીઓને 21 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચંદ્રની માટી કે ધૂળ માનવ સિવાય પૃથ્વીના અન્ય જીવજંતુઓ પર કેવી અસર કરશે તેની પણ તપાસ કરવામાં આવી હતી. આ માટે, મિશનમાંથી પાછા લાવવામાં આવેલા 22 કિલોના 10% પથ્થરનો પરીક્ષણ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

નાસાએ રોક લગાવી

આરઆર ઓક્શન નામના ઓક્શન હાઉસે માહિતી આપી હતી કે વંદો દ્વારા ખાવામાં આવેલી માટીની આ હરાજી આ કંપનીની દુર્લભ હરાજીઓમાંની એક છે. જોકે સ્પેસ એજન્સીએ બોસ્ટન સ્થિત ‘આરઆર ઓક્શન’ને ‘1969 એપોલો 11’ અભિયાન દરમિયાન એકત્રિત કરવામાં આવેલી મૂન ડસ્ટનું વેચાણ રોકવા માટે કહ્યું.  

આરઆર ઓક્શને જણાવ્યું હતું કે પ્રયોગમાં વપરાતી સામગ્રી, જેમાં લગભગ 40 મિલિગ્રામ ચંદ્રની ધૂળ અને કોકરોચના ત્રણ હાડપિંજરનો સમાવેશ થાય છે, તે ઓછામાં ઓછા $400,000માં વેચાય તેવી શક્યતા હતી. જોકે નાસાના વિરોધ બાદ હવે ચંદ્રની ધૂળ અને કોકરોચના હાડપિંજરને હરાજી થનારી વસ્તુઓની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More