ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
નેપાળમાં સરકાર બદલાવાની સાથે દેશની રણનીતિ પણ બદલાઈ ગઈ છે.
પાડોશી દેશની નેપાળ સરકાર ભારત સાથે મધુર સંબંધ ઈચ્છે છે.
આ કારણે પીએમ મોદીના વિરોધમાં પ્રદર્શન કરનારાને અહીંની સરકારે કડક ચેતવણી આપી છે.
નેપાળ સરકારે પોતાના નાગરિકોને કહ્યું કે મિત્ર દેશના સન્માનને નુકસાન થાય તેવું કોઈ પણ નિંદનીય કે અપમાનજનક કામ ન કરે.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં કેટલાક લોકો ભારતના વિરોધમાં પ્રદર્શન કરીને પીએમ મોદીના સ્ટેચ્યૂને સળગાવી રહ્યા હતા આ પછી અહીંની સરકારે નાગરિકોને કડક ચેતવણી આપી છે.
જાણીતા ઉદ્યોગપતિ પ્રશાંત કારુળકરનું કોરોના યોદ્ધા તરીકે સન્માન; જાણો વિગત
