Site icon News Continuous Bureau | Mumbai

Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત

ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીનું નેતૃત્વ, નેપાળ-ભારતના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે તેવી અપેક્ષા

Sushila Karki નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત

Sushila Karki નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત

News Continuous Bureau | Mumbai

Sushila Karki નેપાળના વડાપ્રધાન પદની રેસમાં સામેલ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ નેપાળ-ભારત વચ્ચેના પ્રાચીન સંબંધોને રેખાંકિત કર્યા છે. તેમણે ભારત પ્રત્યે લાગણી વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોના ખૂબ વખાણ કર્યા છે. નેપાળમાં પહેલીવાર યુવા પેઢીના (Gen-Z) સમર્થન સાથે દેશનું નેતૃત્વ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીને સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

Join Our WhatsApp Channel

ભારત-નેપાળના સંબંધો દિલથી જોડાયેલા છે

સુશીલા કાર્કીએ એક મુલાકાતમાં જણાવ્યું કે, “હું મોદીજીને પ્રણામ કરું છું. તેમની કાર્યશૈલી માટે મારા મનમાં ખૂબ સન્માન છે.” ભારત સાથેના પોતાના ભાવનાત્મક સંબંધોને રેખાંકિત કરતા તેમણે ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, “ભારત અને નેપાળના લોકો વચ્ચેના સંબંધો સરકારોથી ઉપર છે અને સીધા દિલથી જોડાયેલા છે.” ભારતે નેપાળને કરેલી મદદ બદલ તેમણે આભાર પણ માન્યો હતો. આ બંને દેશોની નિકટતા દર્શાવતા તેમણે એક કહેવત પણ કહી, કે “જ્યારે રસોડામાં વાસણો એકસાથે હોય, ત્યારે થોડો અવાજ તો થાય જ.”

BHUમાં શિક્ષણ અને યાદો

સુશીલા કાર્કીએ પોતાના શૈક્ષણિક જીવનની યાદો તાજી કરતાં બનારસ હિન્દુ યુનિવર્સિટીનો ઉલ્લેખ કર્યો, જ્યાં તેમણે અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે કહ્યું, “મને આજે પણ મારા શિક્ષકો અને મિત્રો યાદ આવે છે. અમે ગંગા નદીના કિનારે આવેલા હોસ્ટેલમાં રહેતા હતા અને ઉનાળામાં છત પર સૂતા હતા.” તેમનું પૈતૃક ઘર વિરાટનગર (Biratnagar) માં છે, જે ભારતની સરહદથી માત્ર ૨૫ માઈલ દૂર છે. તેમણે કહ્યું કે, “હું ઘણીવાર ભારત-નેપાળ સરહદ નજીક આવેલા બજારોમાં જતી હતી.

આ સમાચાર પણ વાંચો : Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા

પરિવાર જેવા સંબંધો અને ભવિષ્યની અપેક્ષા

સુશીલા કાર્કીએ ભારતના નેતાઓ પ્રત્યે પારિવારિક લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું કે, “અમે ભારતના નેતાઓને ભાઈ-બહેનની જેમ માનીએ છીએ.” નેપાળના રાજકારણમાં એક અનુભવી અને સુસંસ્કૃત નેતાના આગમનથી બંને દેશોના સંબંધો નવી ઊંચાઈઓ પર પહોંચવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

BIMCO Alert on Hormuz Strait શાંતિ સમજૂતી છતાં હોર્મુઝ સ્ટ્રેટમાં જોખમ યથાવત, BIMCO એ જારી કર્યો એલર્ટ
US Iran Peace Deal શાંતિ સમજૂતી તો થઇ, પણ શું ઈરાનને મળશે 25 અબજ ડોલરનું ફ્રીઝ ફંડ? અમેરિકાના ‘પેફોરપર્ફોર્મન્સ’ મોડેલથી વધ્યું સસ્પેન્સ
US Iran Peace Deal વૈશ્વિક મોરચે શાંતિ, ભારતીય બજારમાં રાહતની આશા, પેટ્રોલ અને એલપીજી અંગે સરકારનું આવ્યું મોટું અપડેટ
Iran’s Diplomatic Outreach અમેરિકા સાથે શાંતિ સમજૂતી બાદ ઈરાને તુર્કી, ઈરાક અને ઈજિપ્ત સાથે કરી વાતચીત, ટ્રમ્પ સમક્ષ મૂકેલી શરતો જાહેર
Exit mobile version