WHOની ચેતવણી, ઓમિક્રોનએ છેલ્લો નથી, કોરોનાના નવા વેરિએન્ટ સામે આવવાનો સિલસિલો ચાલુ જ રહેશેઃ જાણો વિગતે 

by Dr. Mayur Parikh
કેન્દ્ર સરકારે આરોગ્ય સંશોધન વિભાગ અને વિશ્વ આરોગ્ય સંસ્થા વચ્ચેના સહાયક ટેકનોલોજી પ્રોજેક્ટને મંજૂરી આપી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

બુધવાર.

દેશભરમાં કોરોના મહામારીના કેસ હવે ઝડપથી ઓછા થઈ રહ્યા છે અને ઓમિક્રોન વેરિએન્ટે ભારતમાં સદનસીબે વધારે ખરાબી સર્જી નથી. જોકે આ કોરોનાનો છેલ્લો વેરિએન્ટ હતો તેવુ જો કોઈ વિચારતા હોવ તો તે વિચાર ખોટો સાબિત થઈ શકે છે. કારણ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, કોરોનાના નવા વેરિએન્ટ સામે આવવાનો સિલસિલો રોકાવાનો નથી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોરોનાના ટેકનિકલ પ્રમુખ મારિયા વોનનું કહેવું  છે કે, કોરોનાનો જે નવો વેરિએન્ટ આવશે તે વધારે સંક્રમિત કરવાની અને હાલના વેરિએન્ટ ઓમિક્રોનને ઓવરટેક કરવાની ક્ષમતા ધરાવતો હશે. આ વેરિએન્ટ ગંભીર પણ હોઈ શકે છે અને ઓછો ગંભીર પણ હોઈ શકે છે. જો એ વધારે પ્રભાવશાળી હશે તો તે ઇમ્યુનિટી સિસ્ટમને પણ ચકમો આપી શકે છે.

પાકિસ્તાન મરીનની નાપાક હરકત, છેલ્લા 24 કલાકમાં 13 ફિશિંગ બોટ અને આટલા માછીમારોનું કર્યું અપહરણ; જાણો વિગતે 

મારિયા વોને કહ્યુ હતુ કે, ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ચોંકાવનારી છે અને કેટલાક દેશોમાં હજી તેની લહેરનુ પીક આવવાનું બાકી છે. ઓમિક્રોનથી આખી દુનિયામાં 13 કરોડ લોકો સંક્રમિત થયા છે અને પાંચ લાખ લોકો મોતને ભેટ્યા છે.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More