Site icon

મોટા સમાચાર : નીરવ મોદી નું ભારતમાં પ્રત્યાર્પણ થશે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

25 ફેબ્રુઆરી 2021

બ્રિટનની અદાલતે નીરવ મોદી સંદર્ભે પોતાનો ફેંસલો સુણાવી દીધો છે. પંજાબ નેશનલ બેંકમાં બે અબજ ડોલરની છેતરપિંડીના કેસમાં નીરવ મોદી ફરાર છે અને હાલ તેની બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી છે. પોતાનો ચુકાદો સંભળાવતા કોર્ટે જણાવ્યું કે નીરવ મોદી ના પ્રત્યાર્પણ કાયદા સંદર્ભેની section 137 ની અપેક્ષાઓ પૂરી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં નીરવ મોદી નું પ્રત્યાર્પણ થઈ શકે છે.

પોતાના બચાવમાં નીરવ મોદી એ સરકારી દબાણ, મિડિયા ટ્રાયલ અને અદાલતની કમજોર પરિસ્થિતિ નું બહાનું આગળ ધર્યું હતું. જોકે આ તમામ બહાનાઓને કોર્ટે ગ્રાહ્ય ધર્યા નહતા. 

ઉલ્લેખનીય છે કે આજથી અગાઉ નિરવ મોદી ની બેલ ની અરજીને તમામ કોર્ટોએ રદ કરી છે.એક શક્યતા એવી દર્શાવવામાં આવી રહી છે કે નીરવ મોદી નીચલી અદાલતના આ ચુકાદાની વિરૂધ્ધમાં ઉચ્ચ અદાલતમાં અરજી કરી શકે છે.

Pakistan LNG Supply Crisis: કતારના એક નિર્ણયથી પાકિસ્તાન ‘ભિખારી’ જેવી હાલતમાં, LNG સપ્લાય બંધ થતા અંધારપટનું જોખમ.
US-Iran Conflict Escalates: ડોનાલ્ડ ટ્રમ્પની શ્રીલંકાને ખુલ્લી ધમકી! ઈરાની સૈનિકોને પરત મોકલવા પર મૂક્યો પ્રતિબંધ; દ્વીપ દેશ પર અમેરિકાનું ભારે દબાણ.
Donald Trump Iran-Israel War Post: ૧૨ માર્ચે યુદ્ધ સમાપ્ત થવાના સંકેત, ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટમાં શું છે ખાસ? જાણો ઈઝરાયેલ અને ઈરાન પર તેની અસર..
Trump Orders 4x Boost in US: ઈરાનને પાઠ ભણાવવા ટ્રમ્પ એક્શન મોડમાં! અમેરિકાના હથિયાર ઉત્પાદનમાં ૪૦૦% નો વધારો; મિડલ ઈસ્ટમાં યુદ્ધના પડઘમ.
Exit mobile version