ભારતની કડકાઈ બાદ બ્રિટન ઝૂક્યું, ટ્રાવેલ નિયમોમાં કર્યા આ ફેરફાર; જાણો વિગતે  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021 

શુક્રવાર

ભારત સરકારના કડક વલણ પછી બ્રિટન સરકારે પીછેહટ કરતાં ભારતીય મુસાફરો માટે મહત્વની જાહેરાત કરી છે. 

નવા નિયમ મુજબ કોવિશીલ્ડ કે યુકે સરકાર દ્વારા મંજૂરી અપાયેલી અન્ય કોરોના રસીના બંને ડોઝ લઇ ચૂકેલા ભારતીય મુસાફરોને દેશમાં ક્વોરન્ટાઇન કરવામાં આવશે નહીં. 

આ આદેશ 11 ઓક્ટોબરથી યુકે જતાં ભારતીયો પર લાગૂ થશે.. 

આ સાથે જ બ્રિટન સરકારે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રિટન રાજદૂત એલેક્સે કહ્યું કે ગત મહિનાથી સહયોગ આપવા માટે ભારત સરકારનો આભાર. 

ઓક્ટોબરની શરુઆતમાં જ ભારતે પણ નિયમ લાગૂ કરતાં બ્રિટિશ નાગરિકો માટે ફરજિયાત ક્વોરન્ટાઇન 

થવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ભારત અને બ્રિટિશ સરકાર પરસ્પર ક્વોરન્ટાઇન નિયમોને લઇને આમને-સામને આવી ગઇ હતી.

સાવધાન મુંબઈવાસીઓ : ચારકોપમાં ફૂડ ડિલિવરી કરનારાએ છ વર્ષની બાળકી સાથે નિંદનીય કૃત્ય કર્યું

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More