Site icon News Continuous Bureau | Mumbai

Live Frogs: ચીનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો, જેણે સૌને ચોંકાવી દીધા,એક કે બે નહીં, અધધ આટલા જીવતા દેડકા ગળી ગઈ વૃદ્ધ મહિલા,જાણો પછી તેની સાથે શું થયું

ચીનમાં ૮૨ વર્ષીય વૃદ્ધાએ પીઠના દુખાવામાં રાહત મેળવવા માટે કર્યું વિચિત્ર કારનામું; શરીરમાં પરોપજીવી કીડાનો હુમલો

Live Frogs ચીનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો,

Live Frogs ચીનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો,

News Continuous Bureau | Mumbai

Live Frogs ચીનમાં એક ૮૨ વર્ષની મહિલાએ એક વિચિત્ર ઘટનાને અંજામ આપ્યો છે. સાંભળેલી વાતોના આધારે તેણે પીઠના દુખાવાથી રાહત મેળવવા માટે ૮ જીવતા દેડકા ગળી લીધા હતા. આ પછી જ્યારે તેને પેટમાં અસહ્ય દુખાવો થયો ત્યારે તે હોસ્પિટલ પહોંચી હતી. ચીનમાં આ એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

Join Our WhatsApp Channel

પીઠના દુખાવા માટે ૮ જીવતા દેડકા ગળી ગઈ

મીડિયા રિપોર્ટ અનુસાર, વૃદ્ધ મહિલાએ સાંભળ્યું હતું કે જીવતા દેડકા ખાવાથી પીઠનો દુખાવો ઠીક થઈ જાય છે. તેણે પોતાના પરિવારના જ એક સભ્યને જીવતા દેડકા લાવવા કહ્યું. દેડકા પણ કોઈ નાના નહોતા,તેમની લંબાઈ પહોળાઈ હથેળી જેટલી હતી. મહિલાએ એક દિવસ ત્રણ દેડકા અને બીજા દિવસે પાંચ વધુ દેડકા ગળી લીધા. આ પછી તેના પેટમાં જોરદાર દુખાવો શરૂ થઈ ગયો. મહિલાના પુત્રએ ડોક્ટરને જણાવ્યું, “મારી માતાએ આઠ જીવતા દેડકા ગળી લીધા છે. હવે તેમને એટલો દુખાવો છે કે તે ચાલી પણ શકતા નથી.”

હોસ્પિટલમાં પહોંચી તો થયો ચોંકાવનારો ખુલાસો

વૃદ્ધ મહિલાને હાંગઝાઉની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરોએ જણાવ્યું કે તેના પાચન તંત્રે કામ કરવાનું બંધ કરી દીધું છે. ડોક્ટરોને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના શરીર પર પરોપજીવીઓએ હુમલો કર્યો છે. ડોક્ટરોને એ પણ ખબર પડી કે મહિલાના શરીરમાં ‘ઓક્સીફિલ સેલ્સ’ બની ગયા છે. એક ડોક્ટરે જણાવ્યું કે, મહિલાના પેટમાં સ્પારગનમ બની ગયા છે, જે એક પ્રકારના પરોપજીવી કીડા હોય છે.

આ સમાચાર પણ વાંચો : America Visa: ટ્રમ્પે ભારતીયોને પહોંચાડ્યું મોટું નુકસાન, આ દેશ ના લોકો ને થયો ફાયદો,જાણો અમેરિકાની નીતિ

મહિલાની સારવાર અને વર્તમાન સ્થિતિ

જોકે, તાત્કાલિક સારવાર પછી મહિલાની તબિયત ઠીક થઈ ગઈ. તેને બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું અને પછી રજા આપવામાં આવી. ડોક્ટરોએ લોકોને ચેતવણી આપી છે કે સાંભળેલી વાતોના આધારે આવી કોઈ પણ પ્રકારની સારવાર ન કરવી જોઈએ, કારણ કે જીવતા જંતુઓ ગળવાથી શરીરમાં જીવલેણ પરોપજીવી કીડાઓનો હુમલો થઈ શકે છે.

 

India Rescue Operation Nepal ચીનનેપાળ સરહદે કુદરતી આફત ૪૦૦ ભારતીયો ફસાયા, ૧૦૦ લાપતા; ભારત સરકારનો મેગા રેસ્ક્યૂ પ્લાન તૈયાર
Nepal Flood Update નેપાળમાં લાશોના ઢગલા, તિબેટમાં ‘ઓલ ઇઝ વેલ’નો દાવો… શું ચીન પૂરની ભયાનક વાસ્તવિકતા છુપાવી રહ્યું છે?
Nepal Floods ભયાનક તારાજી નેપાળમાં પૂરથી મરણાંક વધીને ૩૩૨ પર પહોંચ્યો, ૨૮૮ ભારતીયો સંપર્ક વિહોણા
Nepal Heavy Devastation ચીનની મોટી ચેતવણીથી હડકંપ નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આગામી ૩ દિવસ અત્યંત જોખમી
Exit mobile version