Site icon

Amitabh Kant: “સદીમાં એકવાર મળતી તક”: અમિતાભ કાંતે ભારત પરના 50% યુએસ ટેરિફને સુધારા માટે એક અવસર ગણાવ્યો

પૂર્વ G20 શેરપા અમિતાભ કાંતે યુએસ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફને પડકારને બદલે એક અવસર તરીકે જોયો છે. તેમણે કહ્યું કે આ પરિસ્થિતિનો ઉપયોગ ભારતે આર્થિક સુધારામાં "મોટો કૂદકો" મારવા માટે કરવો જોઈએ.

સદીમાં એકવારની તક અમિતાભ કાંતે યુએસ ટેરિફને ગણાવ્યો સુધારાનો અવસર

સદીમાં એકવારની તક અમિતાભ કાંતે યુએસ ટેરિફને ગણાવ્યો સુધારાનો અવસર

News Continuous Bureau | Mumbai

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધારાના 25% ટેરિફ લાદીને કુલ ડ્યુટી 50% કરી છે. જ્યારે આ નિર્ણયથી વેપાર અને ઘરેલુ ઉદ્યોગો પર તેની અસર અંગે ચિંતા વધી રહી છે, ત્યારે ભારતના પૂર્વ G20 શેરપા અને નીતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાન્ત આ ટેરિફને “સદીમાં એકવાર મળતી તક” તરીકે જોઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

સંકટને અવસરમાં ફેરવવાનો આહવાન

અમિતાભ કાંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું, “ટ્રમ્પે અમને સુધારા પર મોટો કૂદકો મારવા માટે એક પેઢીમાં એકવાર મળતી તક આપી છે. આ સંકટ નો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.” તેમનો આ મત સંકેત આપે છે કે આ પડકારજનક પરિસ્થિતિનો ઉપયોગ આત્મનિર્ભરતા વધારવા અને વેપાર નીતિઓમાં સુધારા લાવવા માટે થઈ શકે છે.ટ્રમ્પે જુલાઈ 30ના રોજ ભારત પર 25% ટેરિફની જાહેરાત કરી હતી અને ભારતને “મિત્ર” ગણાવવા છતાં રશિયા પાસેથી લશ્કરી સાધનો અને ઊર્જા ખરીદવા બદલ દંડની ચેતવણી આપી હતી. ત્યાર બાદ બુધવારે તેમણે વધારાના 25% ટેરિફની જાહેરાત કરી, જેનાથી ભારતીય નિકાસકારો માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે.

આ સમાચાર પણ વાંચો : Trump chip 100% tariff:ટ્રમ્પની કમ્પ્યુટર ચિપ્સ પર 100% ટેરિફ ની યોજના, જો કંપની ઓ યુ.એસ.માં ઉત્પાદન નહીં કરે તો થશે મોંઘવારી

50% ટેરિફની અસર અને ભારતીય ઉદ્યોગ

આ ટેરિફ 7 ઓગસ્ટથી લાગુ થઈ ગયા છે, જ્યારે વધારાના 25% ટેરિફ 21 દિવસ પછી લાગુ થશે. આ ઊંચા ટેરિફને કારણે ભારતીય ઉત્પાદનો યુએસ બજારમાં મોંઘા બનશે, જેનાથી નિકાસમાં ઘટાડો થવાની શક્યતા છે. શ્રિમ્પ, ઓર્ગેનિક કેમિકલ્સ, કાર્પેટ, એપેરલ, ટેક્સટાઈલ, જેમ્સ અને જ્વેલરી, સ્ટીલ અને મશીનરી જેવા ઘણા ક્ષેત્રો પર 50% કે તેથી વધુ ટેરિફ લાગુ થશે.અમિતાભ કાંત જેવા નિષ્ણાતો માને છે કે આવા સમયે ભારતે વેપારને વૈવિધ્યસભર બનાવવો જોઈએ અને નિકાસ માટે નવા બજારો શોધવા જોઈએ. આ સાથે, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને અને વેપાર કરવાની સરળતા (ease of doing business) જેવી નીતિઓમાં સુધારા કરીને ભારત આ પડકારનો સામનો કરી શકે છે.

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Devyani International Sapphire Foods Merger: એક જ છત નીચે આવશે KFC અને Pizza Hut: સફાયર ફૂડ્સ અને દેવયાની ઇન્ટરનેશનલ વચ્ચે મોટી ડીલ, જાણો શેરમાં કેટલી તેજી આવી.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Exit mobile version