Site icon

Pakistan airstrikes : પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર મોટી એર સ્ટ્રાઈક, હુમલામાં આટલા લોકોના મોત, તાલિબાન અકળાયું…

Pakistan airstrikes : પાકિસ્તાને મંગળવારે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લાના લામન સહિત સાત ગામોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાની અધિકારીઓએ પાકિસ્તાની તાલિબાન (TTP)ના એક ટ્રેનિંગ કેમ્પને નષ્ટ કરવાનો અને હુમલામાં અનેક આતંકવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે.

Pakistan airstrikes Pakistan conducts airstrikes on Afghanistan killing 15; Taliban vow retaliation

Pakistan airstrikes Pakistan conducts airstrikes on Afghanistan killing 15; Taliban vow retaliation

News Continuous Bureau | Mumbai 

Pakistan airstrikes : પાકિસ્તાન અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. દરમિયાન પાકિસ્તાને અફઘાનિસ્તાન પર સતત હવાઈ હુમલો કરીને ખળભળાટ મચાવી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલો મંગળવારે રાત્રે કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાં ઘણી મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.  સ્થાનિક સૂત્રોનો દાવો છે કે પાકિસ્તાને બોમ્બ ધડાકા માટે જેટનો ઉપયોગ કર્યો હતો.

Join Our WhatsApp Community

Pakistan airstrikes : મૃતકોમાં એક જ પરિવારના પાંચ લોકો

હવાઈ ​​હુમલા બાદ વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે. મૃતકોમાં એક જ પરિવારના પાંચ લોકોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર હુમલા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. દરમિયાન, તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે પક્તિકા પરના હવાઈ હુમલા પછી જવાબ આપવાનું વચન આપ્યું છે. તાલિબાને કહ્યું છે કે તે પોતાની જમીન અને સાર્વભૌમત્વ બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. જૂથે હુમલાની નિંદા કરી અને કહ્યું કે પાકિસ્તાને આ હુમલાઓમાં વઝીરિસ્તાનના શરણાર્થીઓને નિશાન બનાવ્યા હતા. વઝિરિસ્તાન શરણાર્થીઓ એવા લોકો છે જેઓ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં સેનાના હુમલા પછી વિસ્થાપિત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : BRICS Membership : ભારતના વીટો સામે ઝૂક્યા ચીન અને રશિયા, બ્રિક્સમાં પાકિસ્તાનન મળ્યું સ્થાન; આ દેશને મળ્યું સભ્યપદ…

Pakistan airstrikes : પાકિસ્તાન અને તાલિબાન સરકાર વચ્ચે સંઘર્ષ

પાકિસ્તાની સેનાના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે સરહદ નજીક તાલિબાનની જગ્યાઓને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે પાકિસ્તાને સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી નથી. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન અને તાલિબાન સરકાર વચ્ચે સંઘર્ષ શરૂ થતો જોવા મળી રહ્યો છે. તાલિબાનની પ્રાદેશિક પાંખ, પાકિસ્તાની તાલિબાન, જેને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની સૈન્ય પર વારંવાર હુમલા શરૂ કર્યા છે, જેનાથી પાકિસ્તાન ગુસ્સે થઈ ગયું છે. પાકિસ્તાને તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારઝમીએ પાકિસ્તાનના દાવાને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે હવાઈ હુમલામાં મોટાભાગના વજીરિસ્તાનના શરણાર્થીઓ માર્યા ગયા છે. ખ્વારેઝ્મીએ કહ્યું કે હુમલામાં ઘણા બાળકો અને અન્ય નાગરિકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

 

 

Kim Jong Un: કિમ જોંગ નો વિચિત્ર નિર્ણય, ‘આઈસ્ક્રીમ’ શબ્દ બોલશો તો સજા થશે, જાણો આ પાછળનું કારણ
Narendra Modi: અમેરિકાને જોઈતું હતું તે જ બન્યું, શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પ ની એક પોસ્ટ થી મચી ખળભળાટ
Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો
India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ
Exit mobile version