Site icon

ચીની એન્જિનિયરો પરના આતંકી હુમલા માટે ભારત અને આ દેશને ઠેરવ્યું જવાબદાર, પાકિસ્તાન ના મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આપ્યું આ નિવેદન.. જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

પાકિસ્તાનની સરકારને પોતાના દેશમાં કોઈ પણ સમસ્યા સર્જાય તો તેના માટે ભારતને દોષ આપવાની આદત પડી ગઈ છે.

પાકિસ્તાનના ખૈબર પખતૂનખ્વા પ્રાંતમાં ચીની નાગરિકો પર  થયેલા આત્મઘાતી હુમલા પાછળ ભારત અને અફઘાનિસ્તાનનો હાથ હોવાનો આરોપ પાકિસ્તાને લગાવ્યો છે.

આ મામલાની તપાસ પૂરી થયા બાદ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ હતું કે, હુમલા માટે ઉપયોગમાં લેવાયેલુ વાહન અફઘાનિસ્તાનથી ચોરીને લાવવામાં આવ્યુ હતુ.

આ સાથે તેમણે ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) અને અફઘાનિસ્તાનના નેશનલ ડાયરેકટરેટ ઓફ સિક્યુરિટી પર સીધો આરોપ લગાવ્યો હતો.

ગયા મહિને પાકિસ્તાનના ખૈબર પખ્તુન્વા પ્રાંતમાં ચીની એન્જિનિયરોની એક બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં નવ ચીની નાગરિકો માર્યા ગયા હતા. આ એન્જિનિયરો ચીની કંપનીના કર્મચારીઓ હતા. 

અફઘાનિસ્તાનમાં હાલત બગડી! ભારત-અમેરિકા સહિત 12 દેશો કર્યું આ મોટું એલાન…. જાણો વિગત…

Donald Trump: વ્હાઇટ હાઉસમાં હંગામો! વેનેઝુએલા મુદ્દે ટ્રમ્પ અને એક્સોન મોબિલ સામસામે, શું તેલની દુનિયાના સૌથી મોટા ખેલાડીને ટ્રમ્પ પાઠ ભણાવશે?
Iran Protest 2026: ઈરાનમાં હિંસક પ્રદર્શનો વચ્ચે શું ભારતીયોની ધરપકડ થઈ છે? ઈરાની રાજદૂતે જણાવ્યું સત્ય; જાણો શું છે સ્થિતિ
PM Modi Friedrich Merz Meeting: અમદાવાદથી બર્લિન સુધી ગુંજશે મિત્રતા! સાબરમતીના કિનારે PM મોદી અને જર્મન ચાન્સેલરની મુલાકાત, કરોડોના ડિફેન્સ સોદા પર દુનિયાની નજર
Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
Exit mobile version