કેવા દિવસો આવ્યા-પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીએ લોકોને આપી ઓછી ચા પીવાની સલાહ- કારણ જાણીને લાગશે નવાઈ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતના પાડોશી દેશ શ્રીલંકા(Srilanka) બાદ હવે પાકિસ્તાનની(Pakistan) આર્થિક સ્થિતિ(Economic status) ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, થોડા સમયમાં પાકિસ્તાનની સ્થિતિ શ્રીલંકા જેવી થઇ જાય તો નવાઈ નહીં. આર્થિક સંકટમાંથી(economic crisis) પસાર થઇ રહેલ પાકિસ્તાનની અર્થતંત્રની ગાડી કઇ રીતે ફરીથી પાટા પર લાવી શકાય તે સરકારને સમજાઈ નથી રહ્યું.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. શાહબાઝ સરકાર(Shahbaz Sarkar) ચીન(China), સાઉદી અરેબિયા(Saudi Arabia) જેવા દેશો પાસેથી લોન શોધી રહી છે. આ સાથે ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની(Islamabad International Monetary Fund) પણ મદદ માંગી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાની સરકારની હતાશા સ્પષ્ટ થઇ જ્યારે એક કેન્દ્રીય મંત્રીએ(Central Minister) દેશની અર્થવ્યવસ્થાને બચાવવા માટે લોકોને ચા ઓછી પીવાની સલાહ આપી.

આ સમાચાર પણ વાંચો : આ મુસ્લિમ દેશ ભારતની સાથે- કહ્યું અમે શા માટે પયગંબરની ટિપ્પણી સંદર્ભે વિરોધ કરીએ- જાણો કયો છે તે દેશ

મીડિયા સાથેની વાતચીત દરમિયાન એહસાન ઈકબાલે(Ahsan Iqbal) લોકોને અર્થવ્યવસ્થા બચાવવાની અપીલ કરી અને કહ્યું કે હું દેશને એક કપથી(Tea cup) ઓછી ચા પીવાની અપીલ કરીશ. આપણે જે પણ ચા ખરીદી રહ્યાં છે, તે ઉધાર લઇને  ખરીદી રહ્યાં છે.  

ઉલ્લેખનીય છે કે અગાઉ વીજળી સંકટમાંથી(power crisis) પસાર થઇ રહેલાં પાકિસ્તાનમાં રાતે 8:30 વાગે બધા જ બજારો બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More