Site icon

Pakistan: પાકિસ્તાનના ફૈસલાબાદમાં ધર્મનિંદા પર લોકોમાં રોષ, અનેક ચર્ચમાં તોડફોડ બાદ આગચંપી.. અનેકોની ધરપકડ….કેબિનેટ મંત્રીએ કહ્યું- આ એક સુવિચારિત કાવતરું…. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..

Pakistan: પાકિસ્તાન સ્થિત ડૉનએ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, બુધવારે પાકિસ્તાનના ફૈસલાબાદના જરાંવાલા જિલ્લામાં નિંદાના આરોપોને લઈને અનેક ચર્ચોમાં તોડફોડ કરવામાં આવી છે.

Pakistan: Over 100 held after multiple churches vandalised in Faisalabad

Pakistan: Over 100 held after multiple churches vandalised in Faisalabad

News Continuous Bureau | Mumbai 

Pakistan: પાકિસ્તાન (Pakistan) માં લઘુમતીઓ પર અત્યાચાર કોઈ નવી વાત નથી. પાકિસ્તાનમાં પણ ઈશનિંદાના કિસ્સાઓ આવતા રહે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફૈઝાલાબાદ (Faizabad) માં બુધવારે પાંચ ચર્ચમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના પગલે સરકારે કાર્યવાહી કરી હતી અને હિંસામાં સામેલ 100 લોકોની ધરપકડ કરી હતી. કુરાનનું અપમાન કરવાના આરોપમાં લોકો હિંસક બન્યા અને તેમણે પાંચ ચર્ચને તોડી પાડ્યા હતા .

Join Our WhatsApp Community

વાંચો કેબિનેટ મંત્રીએ શું કહ્યું

હિંસક ટોળાએ ચર્ચની નજીક રહેતા લોકોના ઘરોને પણ સળગાવી દીધા હતા. તેઓએ રહેવાસીઓને માર માર્યો અને લૂંટ પણ કરી હતી. આ દરમિયાન સ્થળ પર ઉભી રહેલી પોલીસ માત્ર દર્શક બની રહી હતી. પંજાબ સરકારના વચગાળાના માહિતી પ્રધાન અમીર મીરે કહ્યું કે અમે ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. શાંતિ ભંગ કરનારા લોકોની અટકાયત કરવામાં આવી છે. મંત્રીનું કહેવું છે કે આ ઘટના એક સુવિચારિત કાવતરું છે. લોક લાગણી ભડકાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. હાલમાં ફૈસલાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પાકિસ્તાની રેન્જર્સના જવાનો તૈનાત છે. સ્થિતિ નિયંત્રણમાં છે. મીરે કહ્યું કે કુરાનના અપમાનની ઘટનાઓ વધી રહી છે. કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Himachal Pradesh Rain: ઠેર ઠેર તબાહી! હિમાચલ, ઉત્તરાખંડમાં વરસાદના પ્રકોપમાં 81ના મોત, પંજાબમાં અચાનક પૂર, પ્રશાસને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી… જાણો હાલ શું છે સ્થિતિ….

બિશપે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું

પાકિસ્તાની મિડીયા અનુસાર, ઘટના સ્થળ પર 6000 થી વધુ સુરક્ષા દળો તૈનાત છે. ખ્રિસ્તી નેતાઓનો આરોપ છે કે સમગ્ર ઘટના દરમિયાન પોલીસ માત્ર દર્શક બની રહી હતી. ચર્ચ ઓફ પાકિસ્તાન (Church Of Pakistan) ના પ્રમુખ બિશપ આઝાદ માર્શલે કહ્યું કે ખ્રિસ્તીઓ પર જુલ્મ અને અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. બિશપે ટ્વીટ કર્યું કે અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ. બાઇબલ (Bible) નું અપમાન થઈ રહ્યું છે. ચર્ચોને બાળવામાં આવી રહ્યા છે. ખ્રિસ્તીઓ પર કુરાનના અપમાનનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. અમને હેરાન કરવામાં આવ્યા છે. અમે ન્યાય માટે પ્રાર્થના કરીએ છીએ. છે.

ભાઈ-બહેનો પર આરોપો

મુહમ્મદ અફઝલ અને ચમરા મંડીના અન્ય ચાર મુસ્લિમોએ રાજા અમીર મસીહ અને તેની બહેન રાકી મસીહ પર કુરાનનું અપમાન કરવાનો અને પ્રોફેટ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ મૂક્યો હતો. પોલીસે બંને ભાઈ અને બહેન વિરુદ્ધ પાકિસ્તાન પીનલ કોડની કલમ 295-C અને 295-B હેઠળ પણ કેસ નોંધ્યો છે અને તેમની ધરપકડ કરવા માટે પોલીસ ટીમની રચના કરી છે. તેણે એ પણ માહિતી આપી કે પોલીસે આરોપીના ઘરની સુરક્ષા કરી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજા અમીર મસીહ સહિત સમગ્ર પરિવાર ફરાર છે. અને ચર્ચમાં તોડફોડ કરવા માટે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. તેણે એ પણ માહિતી આપી કે પોલીસે આરોપીના ઘરની સુરક્ષા કરી લીધી છે.

તે જ સમયે, વચગાળાના વડા પ્રધાન અનવર ઉલ હક કાકરે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા અને લઘુમતીઓને નિશાન બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમને તમામ ગુનેગારોને પકડવા માટે કહેવામાં આવ્યું છે.

23 થી માત્ર 3 ટકા લઘુમતી રહ્યા

હ્યુમન રાઈટ્સ ફોકસ પાકિસ્તાનના વડા નવીદ વોલ્ટરે(Naveed Walter) જણાવ્યું હતું કે, અમે સરકાર, કોર્ટ અને પોલીસ પાસેથી ન્યાય અને કાર્યવાહીની માંગ કરીએ છીએ. લઘુમતીઓને તાત્કાલિક રક્ષણ મળવું જોઈએ અને તેમને ખાતરી આપવી જોઈએ કે જે દેશનો સ્વતંત્રતા દિવસ તેમણે આગલા દિવસે પૂરા ઉમંગથી ઉજવ્યો હતો તે દેશ તેમને પોતાનો ગણે છે. વોલ્ટરે કહ્યું કે, 1947માં આઝાદી બાદ પાકિસ્તાનમાં લઘુમતીઓની વસ્તી 23 ટકાથી ઘટીને 3 ટકા થઈ ગઈ છે. વિચારવા જેવી વાત છે કે આવું કેમ થયું?

 

US India Tariff Deal: ભારતીય નિકાસકારોની લોટરી લાગી! ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 10% કરી, અમેરિકામાં મેડ-ઈન-ઈન્ડિયા વસ્તુઓ વેચવી હવે થશે સસ્તી..
PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Exit mobile version