પાક.ના વડાપ્રધાનની ખુરશી સંકટમાં.  અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે પાકિસ્તાની સંસદે આ તારીખે બેઠક બોલાવી, જાણો વિગતે 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું સંકટ વધી ગયું છે. પીએમ ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે ૨૫ માર્ચ નેશનલ એસેમ્બલીની બેઠક બોલાવવામાં આવી છે. ૨૦૧૮માં વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ ઈમરાન ખાન માટે આ સૌથી મુશ્કેલ રાજકીય કસોટી હશે. તમને જણાવી દઈએ કે, નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસરે રવિવારે વડા પ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિચારણા કરવા માટે ૨૫ માર્ચના રોજ ગૃહનું સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના લગભગ ૧૦૦ સાંસદોએ ૮ માર્ચે નેશનલ એસેમ્બલી સચિવાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો. તેણે આરોપ લગાવ્યો છે કે દેશમાં આર્થિક સંકટ અને મોંઘવારી માટે ઈમરાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સરકાર જવાબદાર છે. 

 આ સમાચાર પણ વાંચો : આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, આ ક્રિકેટર હવે રાજ્યસભામાં…

નેશનલ એસેમ્બલી સચિવાલયે એક નોટિફિકેશન બહાર પાડીને મહત્વપૂર્ણ સત્રને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી છે. વિપક્ષે કાયદાકીય જરૂરિયાતો અનુસાર ૨૧ માર્ચ સુધીમાં સત્ર બોલાવવાની માંગ કરી હતી. સૂચના અનુસાર, સત્ર શુક્રવારે સવારે ૧૧ વાગ્યે શરૂ થશે અને વર્તમાન નેશનલ એસેમ્બલીનું આ ૪૧મું સત્ર હશે. સ્પીકરે પાકિસ્તાનના બંધારણની કલમ ૫૪(૩) અને ૨૫૪ હેઠળ મળેલી સત્તા હેઠળ સત્ર બોલાવ્યું છે. વિપક્ષનું કહેવું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ૧૪ દિવસની અંદર સત્ર બોલાવવામાં આવે, પરંતુ ગૃહમંત્રી શેખ રશીદે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ખાસ સંજાેગોને કારણે તેમાં વિલંબ થઈ શકે છે. 

સરકાર અને વિપક્ષ બંને પરિસ્થિતિને પોતાની તરફેણમાં લાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. ઈમરાન ખાન ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે અને જાે કેટલાક સાથી પક્ષો પક્ષ બદલવાનું નક્કી કરે તો તેમને પદ છોડવું પડી શકે છે. ક્રિકેટમાંથી રાજકારણમાં આવેલા ઈમરાન ખાનને હટાવવા માટે ૩૪૨ સભ્યોની નેશનલ એસેમ્બલીમાં વિપક્ષને ૧૭૨ વોટની જરૂર છે. ઈમરાન ખાનની પાર્ટીના ગૃહમાં ૧૫૫ સભ્યો છે અને સરકારમાં રહેવા માટે ઓછામાં ઓછા ૧૭૨ સાંસદોની જરૂર છે. તેમની પાર્ટી બહુમતી માટે ઓછામાં ઓછા છ રાજકીય પક્ષોના ૨૩ સભ્યોનો ટેકો લઈ રહી છે.

 આ સમાચાર પણ વાંચો : આ વ્યક્તિ બનશે ઉત્તરાખંડના મુખ્યમંત્રી. ચૂંટણી હાર્યા બાદ પણ મુખ્યમંત્રીની પસંદગી બન્યા. જાણો કોણ છે મોદીના ચહેતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More