News Continuous Bureau | Mumbai
Pakistan Ultimatum :પાકિસ્તાન પણ અમેરિકાની રસ્તે ચાલવા લાગ્યું છે. અમેરિકાની જેમ પાકિસ્તાને પણ ગેરકાયદેસર શરણાર્થીઓ પર કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાને ગેરકાયદેસર શરણાર્થીઓ અને અફઘાન નાગરિક કાર્ડ ધારકોને 31 માર્ચ સુધીમાં દેશ છોડવા માટે અલ્ટીમેટમ આપી દીધું છે.
Pakistan Ultimatum :અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવા માટે અલ્ટીમેટમ
મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે તમામ ગેરકાયદેસર વિદેશીઓ અને અફઘાન નાગરિક કાર્ડ ધારકોને 31 માર્ચ પહેલા દેશ છોડી દેવા જણાવ્યું છે. એટલું જ નહીં, મંત્રાલયે ચેતવણી આપી છે કે જો આવા લોકો 31 માર્ચ સુધીમાં દેશ નહીં છોડે તો તેમને 1 એપ્રિલથી દેશનિકાલ કરવામાં આવશે.
Pakistan Ultimatum :અફઘાનિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યા
મહત્વનું છે કે પાકિસ્તાન તેની સરહદોમાં થઈ રહેલા આતંકવાદી હુમલાઓ અને ગુનાઓ માટે સતત અફઘાન નાગરિકોને દોષી ઠેરવી રહ્યું છે. જોકે, અફઘાનિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યા છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, પાકિસ્તાન એક ઉદાર યજમાન રહ્યું છે અને એક જવાબદાર દેશ તરીકે તેની પ્રતિબદ્ધતાઓ અને જવાબદારીઓ પૂર્ણ કરવાનું ચાલુ રાખે છે. એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવે છે કે પાકિસ્તાનમાં રહેતા વ્યક્તિઓએ બધી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરવી આવશ્યક છે.
આ સમાચાર પણ વાંચો : US China Trade war : અમેરિકા સાથેના ટેરિફ વિવાદ વચ્ચે ચીનને આવી ભારતની યાદ… કહ્યું હાથી અને ડ્રેગન મળીને બદલી શકે છે દુનિયા..
Pakistan Ultimatum :પાકિસ્તાન 2023 થી અફઘાન લોકો વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે
જણાવી દઈએ કે પાકિસ્તાને 2023 માં વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં મોટાભાગના અફઘાન હતા. જોકે, પાછળથી પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું કે પહેલા તે વિદેશીઓને બહાર કાઢવામાં આવશે જેમની પાસે કોઈ કાનૂની દસ્તાવેજો નથી. સંયુક્ત રાષ્ટ્રના ડેટા અનુસાર, પાકિસ્તાનમાં 8 લાખથી વધુ અફઘાન લોકો પાસે અફઘાન નાગરિકતા કાર્ડ છે. લગભગ 13 લાખ લોકો પાકિસ્તાન સરકાર સાથે ઔપચારિક રીતે નોંધાયેલા છે અને તેમની પાસે અલગ રહેઠાણ પ્રમાણપત્રો છે. જોકે, પાકિસ્તાન સરકારના નિવેદનમાં એ કહેવામાં આવ્યું નથી કે આનાથી રહેઠાણ પ્રમાણપત્ર ધરાવતા નાગરિકો પર શું અસર પડશે.