પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર સીલ થશે. આતંકવાદીઓના આશ્રયસ્થાન પાકિસ્તાનને તાલીબાનનો ડર સતાવી રહ્યો છે. જાણો વિગત…

by Dr. Mayur Parikh

યુએસ સૈનિકો અફઘાનિસ્તાનથી પરત ફરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચર્ચાએ જોર પકડ્યું છે કે અમેરિકાના ખસી ગયા પછી તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો કરશે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કહ્યું હતું કે જો અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ આવી ગયું તો પાકિસ્તાન તે દેશ સાથે જોડાયેલી સરહદ બંધ કરી દેશે.

પાકિસ્તાન પહેલાથી જ 35 લાખ અફઘાનિસ્તાનીઓને શરણ આપી ચુક્યું છે પરંતુ હવે તે વધુ શરણાર્થીઓને સ્વીકારશે નહીં. 

ઉલ્લેખનીય છે કે 1989ના વર્ષમાં તત્કાલીન સોવિયત સંઘની વાપસી બાદ મુજાહિદીન સમૂહો વચ્ચે છેડાયેલી આંતરિક લડાઈના કારણે લાખો અફઘાનિસ્તાનીઓ ભાગીને પાકિસ્તાન આવ્યા હતા. 

કાશ્મીરમાં ત્રાસવાદી હુમલો, આતંકવાદીઓએ SPO અધિકારીના ઘરમાં ઘૂસીને પરિવારની કરી દીધી હત્યા ; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More