Site icon

Pakistani Terrorists Movement:180 દિવસ, 271 હુમલા અને 389 મૃત્યુ… આતંકવાદીઓનું આશ્રયસ્થાન પાકિસ્તાન પોતે કેવી રીતે આતંક સામે લડી રહ્યું છે?

Pakistani Terrorists Movement: ગયા વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે પાકિસ્તાનમાં 151 આતંકી હુમલા થયા હતા. જ્યારે આ વર્ષના છ મહિનામાં આતંકવાદી હુમલાની સંખ્યા 271 હતી. ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો 79% વધુ છે.

Nabbed terrorist naushad ali tried to go to Pakistan twice via Nepal but failed-Delhi Police

27 વર્ષ સુધી ભારતની જેલમાં કેદ રહીને આતંકીઓને મળ્યો, બહાર આવતા જ આતંકી સંગઠનમાં જોડાયો

News Continuous Bureau | Mumbai

Pakistani Terrorists Movement: ‘જો તમે તમારા બેકયાર્ડમાં સાપ રાખતા હો, તો તમે અપેક્ષા રાખી શકતા નથી કે તે સાપ ફક્ત તમારા પડોશીઓને જ કરડે. છેવટે, તે સાપ તેમને પાળનારાઓને પણ ડંખ મારશે. આ વાત અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને (Henry Clinton) કહી હતી. આ દ્વારા ક્લિન્ટન પાકિસ્તાનને ચેતવણી આપી રહ્યા હતા. તેમનો કહેવાનો મતલબ એવો હતો કે પાકિસ્તાન પોતાના દેશમાં આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે, જેના માટે તેને નુકસાન પણ સહન કરવું પડી શકે છે.

Join Our WhatsApp Community

હિલેરી ક્લિન્ટનની આ વાત હવે સાચી પણ સાબિત થઈ રહી છે. આતંકવાદથી ભારત (India) ને નુકસાન પહોંચાડનાર પાકિસ્તાન (Pakistan) હવે આતંકવાદ સાથે ખરાબ રીતે સંઘર્ષ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓ વધી રહી છે.

કેટલી ઘટનાઓ વધી?

આ વર્ષના પ્રથમ છ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી જૂન સુધીમાં પાકિસ્તાનમાં 271 આતંકી હુમલા થયા છે. આ આંકડો થિંક ટેન્ક પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડી (PICSS) દ્વારા આપવામાં આવ્યો છે.
PICSSએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ગયા વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે 151 આતંકી હુમલા થયા છે. જ્યારે આ વર્ષના છ મહિનામાં આતંકવાદી હુમલાની સંખ્યા 271 હતી. ગયા વર્ષની સરખામણીમાં આ આંકડો 79% વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષના છ મહિનામાં આતંકી હુમલામાં(Attack) 389 લોકોના મોત થયા છે. જ્યારે ગત વર્ષના પ્રથમ છ મહિનામાં 293 લોકોના મોત થયા હતા.
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાઓ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે પાંચ આત્મઘાતી હુમલા થયા હતા, જેમાં 77 લોકો માર્યા ગયા હતા. જ્યારે આ વર્ષે જૂન સુધીમાં 13 આત્મઘાતી હુમલામાં 142 લોકોના મોત થયા છે.

આતંકવાદ ક્યાં વધી રહ્યો છે?

ખૈબર પખ્તુનખ્વા: ગયા વર્ષના છ મહિનાની સરખામણીએ આ પ્રાંતમાં આતંકવાદી હુમલાઓમાં 108%નો ઉછાળો આવ્યો છે. આ હુમલાઓમાં માર્યા ગયેલા અથવા ઘાયલ લોકોની સંખ્યામાં 53%નો વધારો થયો છે.
બલૂચિસ્તાનઃ જાન્યુઆરીથી જૂન 2023 વચ્ચે આ પ્રાંતમાં 75 આતંકી હુમલા થયા છે. જે ગયા વર્ષ કરતાં 103% વધુ છે. અહીં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ લોકોની સંખ્યા પણ ગયા વર્ષની સરખામણીએ 61% વધુ છે.
સિંધઃ પહેલા છ મહિનામાં 13 આતંકી હુમલા થયા છે, જેમાં 19 લોકોના મોત થયા છે અને એટલી જ સંખ્યામાં ઘાયલ થયા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષના છ મહિનામાં આતંકવાદી હુમલાઓમાં 19%નો ઘટાડો થયો છે.
પંજાબઃ ગયા વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે માત્ર એક જ આતંકી હુમલો થયો હતો જ્યારે આ વર્ષના છ મહિનામાં 8 હુમલા થયા છે. આ આતંકી હુમલામાં 6 લોકોના મોત થયા છે.

આ સમાચાર પણ વાંચો : Eknath Shinde News: શિંદે જૂથે વર્ષા બંગલા પર કરી ચર્ચાઓ; મુખ્યમંત્રીએ ધારાસભ્યોની સામે કરી મોટી જાહેરાત

આતંકવાદી હુમલા કેમ વધી રહ્યા છે?

તેનું કારણ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (Tehreek-e-Taliban Pakistan) એટલે કે TTP છે. ટીટીપી (TTP) ને પાકિસ્તાની તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં ઇસ્લામિક શાસન લાવવાનો છે. ઓગસ્ટ 2008માં પાકિસ્તાન સરકારે TTP પર પ્રતિબંધ મૂક્યો હતો.
તાલિબા (Taliban) ને અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો મેળવ્યા બાદ પાકિસ્તાનમાં પણ TTP ની ગતિવિધિઓ વધી છે. છેલ્લા બે વર્ષમાં ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. તેનું કારણ એ છે કે તેઓ અફઘાનિસ્તાન સરહદની નજીક છે. જ્યારે, પંજાબ અને સિંધ પ્રાંત અફઘાન સરહદથી દૂર હોવાને કારણે TTPના આતંકથી થોડા બચ્યા છે.
TTP ઉપરાંત, બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA), બલૂચ નેશનાલિસ્ટ આર્મી (BNA), સિંધુદેશ પીપલ્સ આર્મી (SPA) અને ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) પણ પાકિસ્તાનમાં આતંક વધારી રહ્યા છે.
TTP ફરી માથું ઉંચકતાની સાથે જ BNAએ બલૂચિસ્તાનમાં અને SPA સિંધ પ્રાંતમાં પગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. બીએનએ (BNA) અને એસપીએ (SPA) ઘણી વખત લાહોર અને કરાચીમાં હુમલાની જવાબદારી સ્વીકારી છે.
H4- શું પાકિસ્તાન આગામી અફઘાનિસ્તાન બનશે?
નેવુંના દાયકાની શરૂઆતમાં, જ્યારે સોવિયેત યુનિયન (હવે રશિયા) અફઘાનિસ્તાનમાંથી તેના સૈનિકો પાછી ખેંચી રહ્યું હતું, ત્યારે તાલિબાનનો ઉદય શરૂ થયો. તે જ સમયે, મુલ્લા મોહમ્મદ ઉમરે મદરેસાઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓને ભેગા કર્યા અને તાલિબાનની રચના કરી.
જ્યારે તાલિબાનની રચના થઈ ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે એક દિવસ તે અફઘાનિસ્તાન પર કબજો કરી લેશે. સપ્ટેમ્બર 1994માં તાલિબાનની રચના થઈ અને બે વર્ષમાં તેણે અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી. તાલિબાને 1996 થી ઓક્ટોબર 2001 સુધી શાસન કર્યું.
2021માં જ્યારે અમેરિકી સેના (American Army) એ અફઘાનિસ્તાનમાંથી સૈનિકો હટાવવાની જાહેરાત કરી ત્યારે તાલિબાનો ફરી ઉભરવા લાગ્યા અને 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કરી સત્તા પર કબજો કર્યો. અફઘાનિસ્તાનમાં 20 વર્ષ સુધી અમેરિકન સેના હોવા છતાં પણ તાલિબાન નબળું પડ્યું નથી.
આવી સ્થિતિમાં એ સવાલ પણ ઉઠવા માંડ્યો છે કે જે રીતે અફઘાન તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો હતો, શું પાકિસ્તાની તાલિબાનો પણ પાકિસ્તાન પર કબજો જમાવી લેશે? કદાચ આનો જવાબ હજુ સુધી કોઈની પાસે નથી. પરંતુ ટીટીપી (TTP) ઝડપથી પોતાનો આતંક ફેલાવી રહી છે. આદિવાસી વિસ્તારોથી લઈને પાકિસ્તાનના શહેરો સુધી ટીટીપીનો આતંક ફેલાઈ રહ્યો છે.
અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યા બાદ પાકિસ્તાનને અપેક્ષા હતી કે અફઘાન તાલિબાન TTP પર નિયંત્રણ કરશે, પરંતુ થયું તેનાથી વિપરીત. જ્યારે પણ અફઘાન તાલિબાન મજબૂત બને છે, ત્યારે TTP પણ મજબૂત બને છે. TTP પહેલા જ કહી ચૂક્યું છે કે તેનો ઉદ્દેશ્ય પાકિસ્તાનને શરિયા કાયદા દ્વારા ચલાવવાનો છે. તેણે પાકિસ્તાની સેના વિરુદ્ધ અભિયાન પણ શરૂ કર્યું છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ટીટીપી ઝડપથી બદલાઈ ગઈ છે. એવું કહેવાય છે કે પહેલા TTPમાં ઘણા જૂથો હતા જે એકબીજા સાથે લડતા હતા, પરંતુ હવે બધા એક થઈ ગયા છે. અત્યારે અફઘાન તાલિબાન ખુલ્લેઆમ પાકિસ્તાન તાલિબાન સાથે નથી આવી રહ્યા. પરંતુ જો કોઈ દિવસ અફઘાન તાલિબાન TTP સાથે હાથ મિલાવશે તો સ્થિતિ વધુ વણસી શકે છે.
અંત મેં ફિર એક વખત એવુ ન માનવું કે સાપને તમે પાળ્યો છે, તે તમને નહી ડંખશે, તે યોગ્ય સમયે જરુરથી ડંખ મારશે જ.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics Crisis: શરદ પવારને પડકારતા ‘તે’ 20 મુદ્દા, અજિત પવારે ચૂંટણી પંચને મોકલેલી અરજીમાં શું છે દાવા?

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Exit mobile version