News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઈઝરાયેલની રાજકીય યાત્રા પૂર્ણ કરીને ભારત પરત ફર્યા છે. ૯ વર્ષમાં પ્રથમ વખત યોજાયેલા આ પ્રવાસ દરમિયાન બંને દેશોએ પોતાના દ્વિપક્ષીય સંબંધોને ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ ના સ્તર સુધી લઈ જવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. પીએમ મોદીની વિદાય સમયે બેન ગુરિયન એરપોર્ટ પર જે ગરમજોશી જોવા મળી હતી તે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની સાક્ષી પૂરે છે. પીએમ મોદીએ ટ્વીટ (X) કરીને લખ્યું કે, “ઇઝરાયેલ, તમારા સ્નેહ અને હૂંફ માટે આભાર. વડાપ્રધાન નેતન્યાહુ અને સારા નેતન્યાહુનું મને અંગત રીતે વિદાય આપવા એરપોર્ટ પર આવવું એ મારા માટે અત્યંત ભાવુક અનુભવ રહ્યો. મને વિશ્વાસ છે કે ભારત-ઇઝરાયેલ ભાગીદારી આગામી વર્ષોમાં નવી ઊંચાઈઓ સર કરશે.”
૨૭ એમઓયુ (MoUs) અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ
પ્રવાસ દરમિયાન સાંસ્કૃતિક આદાનપ્રદાન, નવીનતાઅને ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં કુલ ૨૭ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ભારત અને ઇઝરાયેલ ટૂંક સમયમાં જ મુક્ત વ્યાપાર કરાર (FTA) ને આખરી ઓપ આપશે. આ ઉપરાંત હાઈ-ટેક અને ઇમર્જિંગ ટેકનોલોજી માટે નવી ભાગીદારીની પણ સ્થાપના કરવામાં આવી છે.
Thank you Israel, for the warmth and affection.
Deeply touched that Prime Minister Netanyahu and Mrs. Netanyahu personally came to the airport to see me off.
Confident that the India–Israel partnership will continue to reach new heights in the years to come.@netanyahu pic.twitter.com/TgGsIsXOJY
— Narendra Modi (@narendramodi) February 26, 2026
આ સમાચાર પણ વાંચો : Patience Has Run Out:ભારતની એન્ટ્રીથી પાકિસ્તાન ફફડ્યું! રક્ષામંત્રી ખ્વાજા આસિફનો સનસનીખેજ આરોપ- ‘તાલિબાને અફઘાનિસ્તાનને ભારતની કોલોની બનાવી દીધું’..
આતંકવાદ અને ગાઝા શાંતિ યોજના પર ભાર
પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. બંને દેશો આતંકવાદ અને તેના સમર્થકો સામે ખભેખભા મિલાવીને લડશે. પશ્ચિમ એશિયામાં શાંતિ ભારતની સુરક્ષા માટે અનિવાર્ય છે. પીએમ મોદીએ ગાઝા શાંતિ યોજનાનું પણ સ્વાગત કર્યું અને જણાવ્યું કે ભારત માનવતાના પક્ષે રહીને શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસોનું સમર્થન કરે છે.
નેતન્યાહુએ કર્યા મોદીના વખાણ
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પીએમ મોદીના પ્રવાસને ‘અદભૂત અને અત્યંત ઉત્પાદક’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે મોદીએ ઇઝરાયેલની સંસદમાં આપેલા ભાષણે દરેકની આંખો ભીની કરી દીધી હતી. નેતન્યાહુએ ટૂંક સમયમાં જ ભારતમાં G2G (સરકાર-થી-સરકાર) બેઠક યોજવાની અને મહત્વના મંત્રીઓને ભારત મોકલવાની યોજના પણ જાહેર કરી છે.