PM Modi Visit: 40 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડ મુલાકાત, PM મોદીની યુક્રેન અને પોલેન્ડ મુલાકાત પર દુનિયાની નજર.. જાણો કેમ ખાસ છે આ વિદેશ યાત્રા..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર (21 ઓગસ્ટ)થી ત્રણ દિવસના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ સૌથી પહેલા 21-22 ઓગસ્ટના રોજ પોલેન્ડ જશે. આ પછી તેઓ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેશે.

by kalpana Verat
PM Modi Visit PM Modi to embark on three-day visit to Poland and Ukraine from August 21

News Continuous Bureau | Mumbai

PM Modi Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. પોલેન્ડ અને યુક્રેનની ટુર આવતીકાલ 21મી ઓગસ્ટે શરૂ થઈ રહી છે. પીએમ મોદી 21 ઓગસ્ટે પોલેન્ડની એક દિવસીય મુલાકાત લેશે.  મહત્વનું છે કે, 40 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ મુલાકાત છે. 1979માં મોરારજી દેસાઈએ વડાપ્રધાન તરીકે પોલેન્ડની મુલાકાત લીધી હતી. તેમના પહેલા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી પણ પોલેન્ડ ગયા હતા. હવે 40 વર્ષ બાદ પીએમ મોદી અહીંની મુલાકાતે જવાના છે.

PM Modi Visit: UNSCમાં ભારતની કાયમી બેઠક માટે પોલેન્ડનું સમર્થન

પીએમ મોદીની મુલાકાતને લઈને ભારતમાં પોલેન્ડના ચાર્જ ડી અફેર્સ સેબેસ્ટિયન ડોમઝાલ્સ્કીએ કહ્યું છે કે આપણા ઈતિહાસમાં ઘણી વાર્તાઓ અને પ્રકરણો છે જે દર્શાવે છે કે લોકો વચ્ચેના સંબંધો કેટલા ગાઢ હતા. તેમણે કહ્યું છે કે તેમાંથી એક વાર્તા જામ સાહેબની છે. પીએમ મોદી આ વાર્તાને હાઇલાઇટ કરશે કારણ કે તેઓ ગુજરાતના છે. તેમણે કહ્યું કે મહારાજા જામ સાહેબે ભારત-પોલિશ સહયોગના બીજ વાવ્યા હતા. પોલેન્ડમાં મહારાજા જામ સાહેબના નામ પર એક ચોક અને શાળા છે. તેમણે એમ પણ કહ્યું કે પોલેન્ડના સમુદાયમાં ભારતીય ઇમિગ્રન્ટ્સના યોગદાનની ખૂબ પ્રશંસા થાય છે. તેમણે કહ્યું કે UNSCમાં ભારતની કાયમી બેઠક માટે પોલેન્ડનું સમર્થન ટોચ પર છે.

PM Modi Visit: પોલેન્ડ ભારતનો જૂનો મિત્ર

પોલેન્ડ અને ભારતની મિત્રતા ઘણી જૂની છે. બંને દેશો રાજકીય અને આર્થિક ક્ષેત્રે જોડાયેલા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો ત્યારે ભારતે જર્મન હુમલાનો સખત વિરોધ કર્યો હતો. ભારતની આઝાદી પછી, પોલેન્ડ સાથે પ્રથમ રાજદ્વારી સંબંધો 1954 માં સ્થાપિત થયા હતા. 1957માં વોર્સોમાં પ્રથમ ભારતીય દૂતાવાસ ખોલવામાં આવ્યો હતો. આ પહેલા 1955માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પોલેન્ડ ગયા હતા.

આ સમાચાર પણ વાંચોઃ Earthquake: સવાર સવારમાં થથરી ઉઠી સ્વર્ગની ધરતી… જમ્મુ-કાશ્મીરમાં અનુભવાયા ભૂકંપના જોરદાર આંચકા; જાણો કેટલી હતી તીવ્રતા

PM Modi Visit: પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે

પોલેન્ડની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિવની મુલાકાતે જશે. PM મોદી 23 ઓગસ્ટે રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે વાતચીત કરવા માટે યુક્રેન જવાના છે. તમને જણાવી દઈએ કે ભારતે સોમવારે કહ્યું હતું કે તે યુક્રેન સંકટનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાના પક્ષમાં છે. મીડિયા સાથે વાત કરતા વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે કહ્યું કે ભારત હંમેશા યુક્રેનમાં સંઘર્ષને ઉકેલવા માટે કૂટનીતિ અને વાતચીતના પક્ષમાં રહ્યું છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર પણ ચર્ચા કરવામાં આવશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More