News Continuous Bureau | Mumbai
Pm Modi kuwait: કુવૈતના અમીર મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કુવૈતનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ મુબારક અલ-કબીર એનાયત કર્યો. કુવૈતના પ્રધાનમંત્રી મહામહિમ શેખ અહમદ અલ-અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર ભારત અને કુવૈત વચ્ચે લાંબા સમયથી ચાલતી મિત્રતા, કુવૈતમાં ભારતીય સમુદાય અને ભારતના 1.4 અબજ લોકોને સમર્પિત કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ikhedut portal: આજે રાષ્ટ્રીય કિસાન દિવસ, ખેડૂતો સુધી સરકારની યોજના પહોંચે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત; આટલા લાખથી વધુ ખેડૂતોએ લીધો લાભ..
43 વર્ષ બાદ ભારતના પ્રધાનમંત્રીની કુવૈતની આ ઐતિહાસિક મુલાકાત પર એવોર્ડ એનાયત થવાથી આ પ્રસંગમાં વિશેષ અર્થ ઉમેરાયો.
આ પુરસ્કારની સ્થાપના 1974માં કરવામાં આવી હતી અને ત્યારથી તે પસંદગીના વૈશ્વિક નેતાઓને એનાયત કરવામાં આવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.