News Continuous Bureau | Mumbai
PM modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બેંગકોકમાં BIMSTEC સમિટ દરમિયાન મ્યાનમારના સિનિયર જનરલ મિન આંગ હ્લેઇંગને મળ્યા.
તાજેતરના ભૂકંપમાં થયેલા વિનાશ પર શોક વ્યક્ત કરતા, શ્રી મોદીએ આ મહત્વપૂર્ણ સમયમાં મ્યાનમારના ભાઈ-બહેનોને ભારતની સહાયની ખાતરી આપી. બંને નેતાઓએ ભારત અને મ્યાનમાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને કનેક્ટિવિટી, ક્ષમતા નિર્માણ, માળખાગત વિકાસ અને અન્ય ક્ષેત્રો અંગે ચર્ચા કરી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
Met Senior General Min Aung Hlaing of Myanmar on the sidelines of the BIMSTEC Summit in Bangkok. Once again expressed condolences on the loss of lives and damage of property in the wake of the recent earthquake. India is doing whatever is possible to assist our sisters and… pic.twitter.com/Hwwv4VxSpi
— Narendra Modi (@narendramodi) April 4, 2025
“બેંગકોકમાં BIMSTEC સમિટ દરમિયાન મ્યાનમારના સિનિયર જનરલ મિન આંગ હ્લેઇંગને મળ્યા. તાજેતરના ભૂકંપને પગલે જાનહાનિ અને સંપત્તિના નુકસાન પર ફરી એકવાર સંવેદના વ્યક્ત કરી. ભારત આ મહત્વપૂર્ણ સમયમાં મ્યાનમારના આપણા બહેનો અને ભાઈઓને મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરી રહ્યું છે.
અમે ભારત અને મ્યાનમાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને કનેક્ટિવિટી, ક્ષમતા નિર્માણ, માળખાગત વિકાસ અને અન્ય ક્ષેત્રો અંગે પણ ચર્ચા કરી.
આ સમાચાર પણ વાંચો : Sensex Crash: અમેરિકાના બાદ ભારતીય શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો; રોકાણકારોમાં હાહાકાર
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.