Putin calls PM Modi: પુતિને PM મોદીને કર્યો ફોન: ટ્રમ્પ સાથે મુલાકાત બાદ પુતિને વડાપ્રધાન મોદી સાથે શેર કરી વિગતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી, ટ્રમ્પ સાથેની બેઠકની વિગતો શેર કરી.

by Dr. Mayur Parikh
પુતિને PM મોદીને કર્યો ફોન

News Continuous Bureau | Mumbai      
Story: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે (18 ઓગસ્ટ 2025) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. આ કોલ દરમિયાન તેમણે તાજેતરમાં અલાસ્કામાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયેલી મુલાકાત વિશે માહિતી આપી. પુતિન અને ટ્રમ્પની બેઠકનો મુખ્ય હેતુ રશિયા-યુક્રેન યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવાનો માર્ગ શોધવાનો હતો. પુતિને વડાપ્રધાન મોદીને જણાવ્યું કે આ વાતચીત સ્પષ્ટ, શાંતિપૂર્ણ અને અર્થપૂર્ણ રહી હતી.

શાંતિ માટે ભારતના પ્રયાસોને સમર્થન

 ટેલિફોન કોલ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુદ્ધ અંગે જણાવ્યું કે ભારત હંમેશાથી રશિયા-યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાનનું પક્ષકાર રહ્યું છે અને ભવિષ્યમાં પણ દરેક પ્રયાસને સમર્થન આપશે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, “મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો તેમના ફોન કોલ અને અલાસ્કામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની તાજેતરની મુલાકાત વિશે માહિતી શેર કરવા બદલ આભાર. ભારતે યુક્રેન વિવાદના શાંતિપૂર્ણ ઉકેલ માટે સતત આહ્વાન કર્યું છે અને આ સંબંધમાં તમામ પ્રયાસોને સમર્થન આપે છે. હું આગામી દિવસોમાં અમારા સતત આદાન-પ્રદાનની આશા રાખું છું.”

આ સમાચાર પણ વાંચો : Gautam Adani speech: આત્મનિર્ભરતા જ સાચી આઝાદી છે…’ IIT-ખડગપુરમાં ગૌતમ અદાણી એ કહી આવી વાત

પુતિન-ટ્રમ્પ બેઠકની મુખ્ય વાતો

શનિવારે (16 ઓગસ્ટ 2025) ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ પુતિને કહ્યું કે તેમણે યુદ્ધને નિષ્પક્ષ આધાર પર સમાપ્ત કરવાના માર્ગો પર ચર્ચા કરી. તેમણે આ મુલાકાતને સમયની દૃષ્ટિએ અત્યંત ઉપયોગી ગણાવી. ટ્રમ્પે પણ બેઠકને અસરકારક ગણાવી, પરંતુ કહ્યું કે હજુ સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી. તેમણે યુક્રેન પર રશિયાની યુદ્ધવિરામની શરતો સ્વીકારવા માટે પણ દબાણ કર્યું.

 અમેરિકન ટેરિફ અને ભારતનો વિરોધ

આ ફોન કોલના થોડા દિવસ પહેલા જ અમેરિકાએ ભારત પર નવો 25% ટેરિફ (દંડ શુલ્ક) લગાવવાની જાહેરાત કરી હતી. આનું કારણ ભારત દ્વારા સસ્તા ભાવે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું હતું. આ અંગે ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે આ તેલનો વેપાર રશિયા-યુક્રેન યુદ્ધને આર્થિક મદદ પૂરી પાડી રહ્યો છે. જોકે, ભારતે તેનો સખત વિરોધ કરતા કહ્યું હતું કે પશ્ચિમી દેશો મોંઘા ભાવે ઉર્જા ખરીદી શકે છે, પરંતુ ભારતે 1.4 અબજ લોકોની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સપ્લાય સસ્તા ભાવે જોઈએ. ભારતે આ ટેરિફને અયોગ્ય અને અતાર્કિક ગણાવ્યો 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More