Qatar Barzan Gas Plant Explosion કતારના બરઝાન ગેસ પ્લાન્ટમાં ભીષણ બ્લાસ્ટ બાદ ફાટી નીકળી આગ! ૫૪ કર્મચારીઓ ઘાયલ અને ૧૮ લાપતા

Qatar Barzan Gas Plant Explosion રસ લાફાન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓપરેશન ફરી શરૂ કરતી વખતે સર્જાઈ મોટી હોનારત, ગ્લોબલ એનર્જી માર્કેટમાં મચી શકે છે દોડધામ

by kalpana Verat
Qatar Barzan Gas Plant Explosion  કતારના બરઝાન ગેસ પ્લાન્ટમાં ભીષણ બ્લાસ્ટ બાદ ફાટી નીકળી આગ! ૫૪ કર્મચારીઓ ઘાયલ અને ૧૮ લાપતા

 

News Continuous Bureau | Mumbai

Qatar Barzan Gas Plant Explosion વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ ઉત્પાદક દેશોમાંના એક એવા કતારમાંથી એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કતારના અગ્રણી રસ લાફાન ઔદ્યોગિક વિસ્તાર માં આવેલા બરઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં રવિવારે મોડી રાત્રે એક ભીષણ વિસ્ફોટ થયો હતો, જેના કારણે પ્લાન્ટમાં ભારે આગ ફાટી નીકળી હતી. આ દર્દનાક અકસ્માતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૫૪ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જ્યારે ૧૮ અન્ય કર્મચારીઓ હજુ પણ લાપતા છે.

Qatar Barzan Gas Plant Explosion – કેવી રીતે અને કયા સંજોગોમાં સર્જાયો આ ભીષણ બ્લાસ્ટ?

અહેવાલો અનુસાર, આ અકસ્માત તે સમયે થયો જ્યારે ઈરાન દ્વારા કરવામાં આવેલી બોમ્બમારો અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ની નાકાબંધી બાદ કર્મચારીઓ ટર્મિનલમાં ફરીથી ઓપરેશન એટલે કે ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શાંતિ વાટાઘાટો વચ્ચે ઈરાને જ્યારે હોર્મુઝ જળમાર્ગ પરથી પોતાની નાકાબંધી હળવી કરી, ત્યારે કતારની સરકારી કંપની ‘કતાર એનર્જી’ એ નિકાસ ટર્મિનલને ફરીથી સક્રિય કરવાનું કામ શરૂ કર્યું હતું, પરંતુ આ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતાં હોનારત સર્જાઈ હતી.

Qatar Barzan Gas Plant Explosion – વૈશ્વિક એનર્જી માર્કેટ અને ગેસ સપ્લાય પર સંકટના વાદળો

કતારના આ મુખ્ય ગેસ નિકાસ કેન્દ્રમાં થયેલા વિસ્ફોટના કારણે આગામી દિવસોમાં વૈશ્વિક ઉર્જા બજાર માં મોટો ઉથલપાથલ મચી શકે છે. અગાઉ ઈરાન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોના કારણે કતાર પોતાના આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને ગેસનો પુરવઠો મોકલી શકતું નહોતું, જેના લીધે તેણે ઉત્પાદન બંધ રાખવું પડ્યું હતું. હવે જ્યારે પ્લાન્ટ ફરી શરૂ થવાની આશા હતી, ત્યારે આ બ્લાસ્ટના કારણે વૈશ્વિક સ્તરે કુદરતી ગેસ (Natural Gas) ના પુરવઠા પર ફરીથી સંકટ આવી શકે છે.

Qatar Barzan Gas Plant Explosion – ગૃહ મંત્રાલયે જાનમાલના નુકસાનની વિગતો આપી

વિસ્ફોટના કારણે પ્લાન્ટને કેટલું આર્થિક અને માળખાકીય નુકસાન થયું છે તેનો ચોક્કસ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી. અકસ્માતની શરૂઆતમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા માત્ર થોડા જ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી આપવામાં આવી હતી, પરંતુ સ્થિતિની ગંભીરતા જોતા કતારના ગૃહ મંત્રાલયે બાદમાં સત્તાવાર આંકડો જાહેર કરીને ૫૪ લોકો ઘાયલ અને ૧૮ લોકો લાપતા હોવાની પુષ્ટિ કરી છે. હાલમાં પ્લાન્ટમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Shiv Sena UBT Vasai Leaders Join BJP ચૂંટણી પહેલા ઉદ્ધવ સેનામાં મોટું ગાબડું; વસઈના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો કેસરિયા રંગે રંગાયા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More