Site icon

Ram mandir: પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, હવે થઈ રહી છે આ મસ્જિદની ચિંતા! રામ મંદિર મુદ્દે UNને લખ્યો પત્ર..

Ram mandir: યુએન પાસેથી હસ્તક્ષેપની માંગ કરતા, પાકિસ્તાનના રાજદૂતે લખ્યું છે કે ભારતમાં ઇસ્લામિક વારસા અને લઘુમતીઓના ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકારોનું રક્ષણ કરવાની જરૂર છે. ભારતમાં બાબરી મસ્જિદ બાદ અન્ય મસ્જિદ પણ જોખમમાં છે.

- Ram mandir Pakistan warns Ram Mandir consecration 'significant threat' to 'regional peace'

- Ram mandir Pakistan warns Ram Mandir consecration 'significant threat' to 'regional peace'

News Continuous Bureau | Mumbai

Ram mandir: યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવનાર પાકિસ્તાન હવે રામ મંદિરને વૈશ્વિક મુદ્દો બનાવવાની કોશિશ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોજાયેલી ઓર્ગેનાઈઝેશન ઑફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિરના નિર્માણની ટીકા કરી હતી.

Join Our WhatsApp Community

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કરી  કડક નિંદા 

આ પહેલા અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને તેની કડક નિંદા કરી હતી. નિવેદનમાં પાકિસ્તાને કહ્યું હતું કે ઉશ્કેરાયેલા ટોળાએ 6 ડિસેમ્બર 1992ના રોજ સદીઓ જૂની મસ્જિદને તોડી પાડી હતી. ભારતની સૌથી મોટી અદાલતે આ ઘટના માટે જવાબદારોને નિર્દોષ જાહેર કર્યા એ નિંદનીય છે. હકીકતમાં એ જ જગ્યાએ રામ મંદિરના નિર્માણ માટે પણ મંજૂરી આપવામાં આવી હતી.

દરમિયાન હવે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે એક પત્ર લખ્યો છે. જેમાં બાબરી મસ્જિદ તોડીને રામ મંદિર નિર્માણનો મુદ્દો યુએન સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે. આ પત્ર દ્વારા પાકિસ્તાને કહ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહ પણ ‘આ જ પ્રકારના ખતરાનો સામનો કરી રહી છે’. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના અહેવાલને ટાંકીને હિન્દુ પક્ષના વકીલે કહ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદ એક જૂના મંદિરના અવશેષો પર બનાવવામાં આવી હતી.

કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ 

યુએનમાં પાકિસ્તાનના રાજદૂતે પોતાના પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતમાં ઇસ્લામ સંબંધિત હેરિટેજ સાઇટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની જરૂર છે. યુએનને લખેલા પત્રમાં મુનીર અકરમે વધુમાં લખ્યું છે કે ભારતમાં મુસ્લિમ ધાર્મિક સ્થળોની સુરક્ષા માટે તમારા તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવા માટે હું આ પત્ર લખી રહ્યો છું. યુનાઈટેડ નેશન્સે ઈસ્લામ સાથે જોડાયેલા હેરિટેજ સ્થળોનું રક્ષણ કરવા અને ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક લઘુમતીઓના અધિકારોને સુરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Bihar Political Crisis: નીતીશ-ભાજપની સરકાર લગભગ નક્કી! આ તારીખે શપથ ગ્રહણ કરવાની શક્યતા.. સુશીલ મોદી ડેપ્યુટી સીએમ બની શકે છેઃ અહેવાલ..

જ્ઞાનવાપી અને શાહી ઇદગાહ મસ્જિદ અંગે પણ ચિંતા વ્યક્ત કરી 

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે આગળ લખ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક ભારતમાં મસ્જિદોને નષ્ટ કરવાના પ્રયાસો અને ધાર્મિક ભેદભાવ દર્શાવે છે. મામલો બાબરી મસ્જિદથી આગળ વધી ગયો છે. ભારતની અન્ય મસ્જિદો પણ આવા જ જોખમોનો સામનો કરી રહી છે. દુઃખની વાત છે કે, આ કોઈ અલગ ઘટના નથી. કારણ કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ સહિત અન્ય મસ્જિદોને પણ અપવિત્ર અને વિનાશની ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

શું છે જ્ઞાનવાપીનો રિપોર્ટ

હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને ગુરુવારે  મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ASI રિપોર્ટ દર્શાવે છે કે જ્ઞાનવાપી મસ્જિદ ત્યાં પહેલાથી જ અસ્તિત્વમાં છે તે જૂના મંદિરના અવશેષો પર બનાવવામાં આવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સર્વે રિપોર્ટમાં મંદિરના અસ્તિત્વના પૂરતા પુરાવા મળ્યા છે જેના પર મસ્જિદ બનાવવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે સર્વે દરમિયાન બે ભોંયરાઓમાંથી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓના અવશેષો મળી આવ્યા હતા.

Diego Garcia Missile Attack: ઈરાનનો અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર મિસાઈલ વર્ષા; શું હવે ટ્રમ્પ આપશે જડબાતોડ જવાબ?
US Lift Iran Oil Sanctions: ‘બજારમાં તેલ-ગેસનો પુરવઠો થશે પૂર્વવત! હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ દૂર થવાના સંકેત; અમેરિકાની જાહેરાતથી ભારત સહિત અનેક દેશોને રાહત
‘Donald Trump Middle East Policy: મધ્ય-પૂર્વમાં તણાવ વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત; શું અમેરિકા યુદ્ધમાંથી પીછેહઠ કરી રહ્યું છે? જાણો લેટેસ્ટ અપડેટ.
Tragic Accident Near Panvel: મહારાષ્ટ્રમાં કાળમુખો અકસ્માત: IIT બોમ્બેના ૩ તેજસ્વી વિદ્યાર્થીઓના મોત; લોનાવાલાથી સૂર્યોદય જોઈ મુંબઈ પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના
Exit mobile version