News Continuous Bureau | Mumbai
શ્રીલંકા(Sri Lanka)માં લોકોના ઉગ્ર વિરોધ પ્રદર્શનની વચ્ચે પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickremesinghe) રાજીનામું (resign) આપવાની જાહેરાત કરી છે.
પીએમ(PM) રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickremesinghe)ના રાજીનામાની જાહેરાત બાદ હવે શ્રીલંકામાં સર્વપક્ષીય સરકાર રચાશે.
મીડિયા રિપોર્ટ મુજબ આજે સાંજે પક્ષના નેતાઓની બેઠક દરમિયાન અનુરા કુમારાદિસનાયકેને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવી શકે છે.
દરમિયાન શ્રીલંકામાં આર્થિક અને રાજકીય સંકટ ઘેરુ બની રહ્યું છે.
સરકારે અગમચેતીના પગલાં રુપે 15 જુલાઈ સુધી તમામ સ્કૂલો અને ચાર સ્ટેટ યુનિવર્સિટીઓને હંગામી ધોરણે બંધ કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : લંકામાં દહન- રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યા બાદ પ્રદર્શનકારીઓએ સ્વિમિંગ પૂલમાં માર્યા ધુબાકા-જુઓ વીડિયો- જાણો વિગતે
