શ્રીલંકામાં આર્થિક સંકટ થશે દૂર? સંસદમાં માત્ર એક બેઠક ધરાવનાર પાર્ટીના આ મોટા નેતા બન્યા દેશના નવા પ્રધાનમંત્રી.. જાણો વિગતે  

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આર્થિક સંકટ(Economic crisis)નો સામનો કરી રહેલા શ્રીલંકા(Sri Lanka)ને નવા પ્રધાનમંત્રી(New PM) મળી ગયા છે.

યુનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા રાનિલ વિક્રમસિંઘે (Ranil Wickremesinghe)ને શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. 

શ્રીલંકાની 225 સભ્યોની સંસદમાં રાનિલ વિક્રમસિંઘેની પાર્ટી યુનાઇટેડ નેશનલ પાર્ટીની માત્ર એક સીટ છે, પરંતુ તેઓ દેશના પ્રધાનમંત્રી બની ગયા છે. 

રાનિલ વિક્રમસિંઘે ચાર વખત શ્રીલંકાના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. 

શ્રીલંકા હાલમાં આર્થિક અને સામાજિક મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. મહિન્દા રાજપક્ષેએ ભારે હિંસા અને પ્રદર્શનકારીઓના દબાણને કારણે દેશના પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

આ સમાચાર પણ વાંચો :  રશિયાની ધમકીને આ પાડોશી દેશે અવગણી, નાટોમાં જોડાવા માટે કરી જાહેરાત… જાણો વિગતે.. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More