Site icon News Continuous Bureau | Mumbai

RussiaIndia Relations| ભારત માટે રાહતના સમાચાર રશિયા બન્યું સંકટમોચક, હોર્મુઝ સ્ટ્રેટમાં રશિયન જહાજો માટે ઈરાને ખોલ્યો સુરક્ષિત માર્ગ.

RussiaIndia Relations| ઈરાનઅમેરિકા સંઘર્ષ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર; રશિયાથી આવતા ક્રૂડ ઓઈલની સપ્લાય થશે સુનિશ્ચિત.

RussiaIndia Relations| ભારત માટે રાહતના સમાચાર રશિયા બન્યું સંકટમોચક, હોર્મુઝ સ્ટ્રેટમાં રશિયન જહાજો માટે ઈરાને ખોલ્યો સુરક્ષિત માર્ગ.

RussiaIndia Relations| ભારત માટે રાહતના સમાચાર રશિયા બન્યું સંકટમોચક, હોર્મુઝ સ્ટ્રેટમાં રશિયન જહાજો માટે ઈરાને ખોલ્યો સુરક્ષિત માર્ગ.

News Continuous Bureau | Mumbai

RussiaIndia Relations| ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અસ્થિર થયા છે અને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) જેવો મહત્વનો દરિયાઈ માર્ગ બંધ થવાથી વિશ્વમાં ઉર્જાનું મોટું સંકટ સર્જાયું છે. આ મુશ્કેલ સમયમાં રશિયા ભારત માટે ‘સંકટમોચક’ સાબિત થયું છે. ભારત માટે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની સપ્લાય જાળવી રાખવી અત્યંત આવશ્યક હતી, જેમાં હવે ઈરાનની એક મોટી જાહેરાત બાદ ભારતને મોટો રાહત મળી છે.

Join Our WhatsApp Channel

રશિયા અને ઈરાનની વ્યૂહાત્મક મિત્રતા

ઈરાને સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાંથી રશિયાના જહાજોને સુરક્ષિત માર્ગ (Safe Passage) પૂરો પાડશે. રશિયા અને ઈરાન વચ્ચેના વર્ષો જૂના સંબંધો આ નિર્ણયમાં મહત્વના છે. યુદ્ધ જેવી સ્થિતિમાં રશિયા પોતાના જહાજોની સુરક્ષા માટે ઈરાન સાથે કામ કરી રહ્યું છે. ઈરાન દ્વારા રશિયન જહાજોને વિશેષ સુરક્ષા પૂરી પાડવાના નિર્ણયનો સીધો ફાયદો ભારતને થશે, કારણ કે રશિયા પાસેથી ભારત મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ આયાત કરી રહ્યું છે.

ભારત માટે કેમ છે આ જાહેરાત મહત્વની?

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના ૨૦% તેલ પુરવઠાનો મહત્વનો માર્ગ છે. હાલમાં આ માર્ગ બ્લોક હોવાથી ભારતમાં એલપીજી (LPG) અને ક્રૂડ ઓઈલનું સંકટ ઊભું થયું છે. જોકે, ઈરાનના આ નિર્ણયથી રશિયાથી આવતા તેલના ટેન્કરો માટે અવરોધ દૂર થયો છે. યુદ્ધની સ્થિતિ શરૂ થઈ ત્યારે અમેરિકાએ રશિયાના તેલ પરના પ્રતિબંધો હળવા કર્યા હતા, જેનો લાભ લઈને ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું. હવે ઈરાનની આ સુરક્ષા ગેરંટી ભારતીય બજારમાં તેલની તંગી દૂર કરવામાં મદદરૂપ થશે.

યુદ્ધવિરામ અને વર્તમાન સ્થિતિ

ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ બાદ તાજેતરમાં બે અઠવાડિયા માટે યુદ્ધવિરામ (સીઝફાયર) જાહેર કરવામાં આવ્યું હતું, જેને હવે લંબાવવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા આયોજિત વાટાઘાટોમાં ઈરાને હાજરી ન આપી હોવા છતાં, દરિયાઈ માર્ગની સુરક્ષા અંગેની આ જાહેરાત એક મોટો રાજદ્વારી વળાંક છે. ભારતે પોતાની ઉર્જા સુરક્ષા જાળવી રાખવા માટે આ વ્યૂહાત્મક માર્ગને ખુલ્લો રાખવો અનિવાર્ય હતો, જેમાં રશિયાનો સાથ ભારત માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.

👉 આ સમાચાર વાચો:
LPG Crisis| LPG ગ્રાહકો માટે એલર્ટ સિલિન્ડર લેતા સમયે આ કોડ આપવો ફરજિયાત, જાણો શું છે આખો મામલો

Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Donald Trump Iran Nuclear Claim ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો ઈરાનની પરમાણુ અને મિસાઈલ શક્તિ લગભગ નષ્ટ, હવે ન્યુક્લિયર હથિયાર બનાવવાની સ્થિતિમાં નથી તેહરાન
R Praggnanandhaa પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ નોર્વે ચેસ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બન્યો, દિગ્ગજ મેગ્નસ કાર્લસનને બે વાર હરાવી મેળવી ઐતિહાસિક સિદ્ધિ
Putin hails India ties વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો! પુતિને કહ્યું પીએમ મોદીને ડરાવવા કે ઝુકાવવા એ અમેરિકાના વશની વાત નથી.
Exit mobile version