News Continuous Bureau | Mumbai
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ 2 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન બંને પક્ષોના લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ હોવા છતાં, કોઈપણ રીતે યુદ્ધ અટકે તેવી કોઈ શક્યતા હાલ જણાતી નથી. જો કે, આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ ( Russian President ) વ્લાદિમીર પુતિને વિદેશી નાગરિકો માટે એક ઓફરની જાહેરાત કરી છે. તેમણે ગુરુવારે (4 જાન્યુઆરી) એક આદેશ જારી કરીને યુક્રેનમાં રશિયા માટે લડી રહેલા વિદેશી નાગરિકો અને તેમના પરિવારોને રશિયન નાગરિકતા મેળવવાની મંજૂરી આપી હતી. આ સિવાય નાગરિકતા ( citizenship ) મેળવનારાઓને 100 ગણો પગાર ( Salary ) આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ( Vladimir Putin ) આદેશ અનુસાર, જે લોકોએ મોસ્કોમાં ( Moscow ) સ્પેશિયલ મિલિટરી ઓપરેશન ( Special Military Operation ) દરમિયાન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે રશિયન પાસપોર્ટ મેળવવા માટે સરળતાથી અરજી કરી શકે છે. આ માટે વિદેશી નાગરિકોએ ( Foreign citizens ) કેટલાક દસ્તાવેજો બતાવવા પડશે જેમાં તેણે ઓછામાં ઓછા એક વર્ષ માટે રશિયામાં સૈનિક તરીકે કામ કરવાનો કરાર કર્યો હોવો જોઈએ.
યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં અત્યાર સુધીમાં 3 લાખ 15 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છેઃ રિપોર્ટ..
યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયા દુશ્મન દેશ સામે તેના વતી લડતા વિદેશીઓની સંખ્યા જાહેર કરતું નથી. જો કે, રોઈટર્સના એક અહેવાલ મુજબ, રશિયાએ ક્યુબાના લોકો પર એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં ક્યુબાના લોકોને 100 ગણો વધુ પગાર આપવાની વાત પણ તેમાં સામેલ હતી. તે સમય દરમિયાન, વેગનર દ્વારા લશ્કરમાં ભરતી કરાયેલા ત્રણ આફ્રિકનોમાંથી બે મૃત્યુ પામ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : IND vs SA: કેપટાઉનમાં ભારતની ઐતિહાસિક જીત બાદ ICC ટેસ્ટ રેન્કિંગ ટેબલમાં મોટો ફેરબદલ.. ટીમ ઈન્ડિયાને મોટો ફાયદો.. જાણો કઈ ટીમે બાજી મારી..
એક અમેરિકન રિપોર્ટ અનુસાર, યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં અત્યાર સુધીમાં 3 લાખ 15 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. યુક્રેન સામે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે લગભગ 90 ટકા લોકો રશિયન સેનામાં હાજર હતા, જે હવે ઘટી ગયા છે.