યુદ્ધ વચ્ચે યુક્રેને કર્યો મોટો દાવો, કહ્યું- યુદ્ધમાં અસફળતાથી રાષ્ટ્રપતિ પુતિન નારાજ; કરી આ મોટી કાર્યવાહી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા યુદ્ધને 15 દિવસ થઈ ચુક્યા છે. 

યુક્રેન આ યુદ્ધમાં રશિયાને જબરદસ્ત ટક્કર આપી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. 

આ સ્થિતિ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રશિયાની સેનાના 8 ટોચના અધિકારીઓને હટાવી દીધા છે. 

યુક્રેને કહ્યું છે કે, પુતિને પોતાની આર્મીના 8 ટોચના અધિકારીઓને એટલા માટે હટાવ્યા છે કે, રશિયાની ખુફિયા એજન્સી એફએસબી યુક્રેન માટે સારી રણનીતિ નથી બનાવી શકી. 

સાથે જ અંદરની ખુફિયા જાણકારી પણ નથી મેળવી શકી. 

જો કે, રશિયાએ આ કાર્યવાહીની પુષ્ટી નથી કરી પણ બ્રિટનના કેટલાક એક્સપર્ટ યુક્રેનના આ દાવાને સાચો ગણાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  યુક્રેનનાં આ શહેર પર ફાઇનલ એટેક કરવાની ફિરાકમાં રશિયા, ટેન્ક-એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલો સહિત ઘાતક હથિયારોથી હુમલા વધાર્યા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More