Site icon News Continuous Bureau | Mumbai

Scientists Solve Mystery Gate of Hell: તુર્કીમાં છે નરકના દરવાજા જેમાં પ્રવેશતા જ લોકોના મોત થાય છે, વૈજ્ઞાનિકોએ હવે ખોલ્યુ રહસ્ય.. જાણો શું છે આ રહસ્ય..

Scientists Solve Mystery Gate of Hell: શું તમે સાંભળ્યું છે કે મંદિરની નજીક જવાથી મનુષ્ય સહિત પશુ-પક્ષીઓ મૃત્યુ પામે છે? ભાગ્યે જ સાંભળ્યું. આવો અમે તમને આ વિશે જણાવીએ.

Scientists Solve Mystery Gate of Hell In Turkey, there are iron doors in which people die as soon as they enter, scientists have now revealed the secret..

Scientists Solve Mystery Gate of Hell In Turkey, there are iron doors in which people die as soon as they enter, scientists have now revealed the secret..

News Continuous Bureau | Mumbai

Scientists Solve Mystery Gate of Hell: તુર્કીના હીરાપોલિસ ( Turkey Hierapolis ) શહેરમાં એક મંદિર આવેલું છે, જેને લોકો ‘નર્કનો દરવાજો’ ( gates of hell ) પણ કહે છે. પ્રાચીન સમયથી લોકો અહીં જવાથી ડરે છે. લોકો માને છે કે અહીં દેવતાઓનો પ્રકોપ છે. આ જ કારણ છે કે અહીં જતા લોકો મૃત્યુ પામે છે. પ્રાચીન સમયમાં લોકો દેવતાઓને પ્રસન્ન કરવા માટે પ્રાણીઓની બલિ આપતા હતા. 

Join Our WhatsApp Channel

જો કે હવે મંદિરનું રહસ્ય ( Mystery  ) ખુલ્યું છે. સંશોધકોના મતે મંદિરની અંદર ધરતીના પોપડામાંથી ખતરનાક વાયુઓ લીક થઈ રહ્યા છે. એટલું જ નહીં મંદિરના પ્રવેશદ્વાર પર કાર્બન ડાયોક્સાઈડનું ( carbon dioxide ) ઘાતક પ્રમાણ જોવા મળ્યું છે. આ જ કારણ છે કે કોઈપણ જીવંત પ્રાણી મંદિરમાં પ્રવેશતાની સાથે જ મૃત્યુ પામે છે.

 મંદિરની અંદર CO2 ની માત્રા ઘણી વધારે છે….

દરમિયાન પુરાતત્વવિદોને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મંદિરની અંદર CO2 ની માત્રા ઘણી વધારે છે. સંશોધકોનું કહેવું છે કે આ મંદિરમાં જવાનો સૌથી ખતરનાક સમય સવારનો છે. કારણ કે રાત્રે ગેસનું લીકેજ ( Gas leakage ) ખૂબ જ ઝડપી હોય છે. જો કોઈ સવારના પ્રકાશ પહેલા આ મંદિરમાં પ્રવેશ કરે તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. સૂર્યોદય થતાં જ વાયુઓનું લિકેજ ઓછું થાય છે. જેના કારણે જીવોના મૃત્યુની સંભાવના પણ ઘટી જાય છે.

આ સમાચાર પણ વાંચો : Atal Setu Suicide: મહિલા ડોક્ટરે અટલ સેતુ પરથી કૂદીને કરી આત્મહત્યા, બ્રિજ બનાવ્યા બાદ પ્રથમ આવી ઘટના, જાણો વિગતે..

સ્ટ્રેબો અનુસાર તે એક નાની ખુલ્લી જગ્યા છે. આ સ્થળે એક સમયે માત્ર એક જ વ્યક્તિ પ્રવેશી શકે છે. દૂરથી જોવામાં આવે તો તે ગુફા જેવું લાગે છે. મંદિરની અંદરનો નજારો એકદમ ઝાંખો છે. આવી સ્થિતિમાં સપાટીને જોવી ખૂબ મુશ્કેલ બની જાય છે. ભારે અંધકારને કારણે, જે પણ તેમાં જાય છે તે ખતરનાક વાયુઓને કારણે મૃત્યુ પામે છે.

 

US Iran War Updates 2026 ઈરાન પર અમેરિકાના હુમલાથી રશિયા લાલચોળ, વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવનું મોટું નિવેદન ‘અમેરિકા પર ભરોસો કરવો હવે અશક્ય’
India UK CETA Trade Agreement ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (FTA) આજથી લાગુ! ૯૯% ભારતીય નિકાસ થશે ટેક્સફ્રી, જાણો કઈ વસ્તુઓ સસ્તી થશે!
US Russia Oil Tariff Cut Updates ટ્રમ્પ નરમ પડ્યા! રશિયન ઓઈલ ખરીદતા ભારતચીનને અમેરિકાની મોટી રાહત; ૫૦૦% ટેરિફ લગાવવાની જીદ છોડી લીધો આ મોટો નિર્ણય!
US Iran War Updates 2026 ગમે ત્યારે ફાટી નીકળશે મહાયુદ્ધ? ઈરાન પર ટ્રમ્પની સૌથી મોટી આર્થિક સ્ટ્રાઈક, વૈશ્વિક સ્તરે હલચલ!
Exit mobile version