Site icon News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનું મિશન ચાલુ, આજે 146 લોકો દિલ્હી પહોંચ્યા ; જાણો  એક સપ્તાહમાં કેટલા લોકો પરત આવ્યા  

ન્યુઝ કન્ટીન્યુઝ.બ્યુરો 

23 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર.

અફઘાનિસ્તાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ભારતીયોનો બીજો બેચ આજે દોહામાં સ્થિત ભારતીય દૂતાવાસની મદદથી ભારત પરત પહોંચી ગઈ છે. 

આ 146 ભારતીયોના સમૂહને રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી પ્લેનમાં બેસાડી દોહાના રસ્તે દિલ્હી લાવવામાં આવ્યા છે. 

દૂતાવાસનું કહેવું છે કે અધિકારી આ ભારતીયોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવા માટે જરૂરી કોન્સુલર અને લોજિસ્ટિક્સ સપોર્ટ પૂરી પાડી રહ્યા છે.

આ પહેલા 135 ભારતીયોનો પહેલો બેચ કતારના રસ્તે રવિવારે ભારત પહોંચ્યો હતો. તેમને શનિવારે અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવ્યા હતા. 

નોંધનીય છે કે, રવિવારે ત્રણ અલગ અલગ ફ્લાઇટથી 392 લોકોને ભારત લાવવામાં આવ્યા છે. જેમાં બે અફઘાનિ નેતા પણ સામેલ છે. તેમને અફઘાનિસ્તાનના કાબુલથી બહાર કાઢવામાં આવ્યા છે.

તાલિબાનોએ ગયા રવિવારે કાબુલ પર કબજો કર્યા પછી છેલ્લા એક સપ્તાહમાં લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાના અભિયાનના ભાગરૃપે છેલ્લા એક સપ્તાહમાં 590 લોકો કાબુલથી ભારત પહોંચ્યા છે. 

12થી 18 વર્ષનાં બાળકોના વેક્સિનેશનમાં થશે વિલંબ, જાણો કેમ?

Russia Ukraine War Ceasefire શું હવે ખતમ થશે રશિયા અને યુક્રેનનું યુદ્ધ? વ્લાદિમીર પુતિને ૩ દિવસ માટે અટકાવ્યા હુમલા, જાણો શું છે કારણ
Iran India Chabahar Port BRICS BRICS સમિટ પહેલાં ઈરાને ભારતને ગણાવ્યો જૂનો મિત્ર ચાબહાર પોર્ટ અને દ્વિપક્ષીય વેપાર મુદ્દે થશે મહત્વપૂર્ણ ચર્ચા
Iran Doubles Petrol Prices સસ્તા ઈંધણનો યુગ સમાપ્ત? સરહદે દાણચોરી અને બેફામ વપરાશ ડામવા ઈરાન સરકારે પેટ્રોલના ભાવ બમણા ઝીંક્યા
BAPS Paris Event Controversy પેરિસમાં BAPS કાર્યક્રમ બાદ વિવાદ મહિલા સ્ટાફને હટાવાતા કર્મચારીઓનો વિરોધ, એફિલ ટાવર બંધ કરાયો!
Exit mobile version