આખરે પાકિસ્તાને બ્રહ્મજ્ઞાન લાધ્યુ: કહ્યું કાશ્મીરથી ધારા 370 ખસેડવી એ ભારતનો આંતરિક મુદ્દો.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા ના મુદ્દાને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે. તેમણે સમા ટીવીને આપેલા ઇન્ટરવ્યૂ આપવા જણાવ્યું કે કાશ્મીરમાંથી ધારા 370 ખસેડવાના કારણે પાકિસ્તાનને કોઈ તકલીફ નથી. પાકિસ્તાન ને માત્ર ધારા 35a થી તકલીફ છે. કારણ કે આ ધારાને કારણે કાશ્મીર પોતાની આઇડેન્ટિટી ગુમાવી દેશે અને ત્યાં ઘણા મોટા બદલાવ આવશે.

પાંચ વર્ષના આ બાળકની બુદ્ધિશક્તિ જોઈ તમે દંગ રહી જશો! ગણિતના ઘડિયા કડકડાટ બોલે છે…

તેમણે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ રીતે સક્ષમ દેશ છે અને આથી આ બંને દેશ વચ્ચે ચર્ચા સિવાય  બીજો કોઈ માર્ગ બચતો નથી.
આમ કાશ્મીરમાંથી ધારા 370 ખસ્યા ના ૨૧ મહિના પછી પાકિસ્તાને તે આ બાબતે કુણૂ વલણ લીધું છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More