Strait of Hormuz Crisis યુદ્ધના કારણે દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર તાળા.

Strait of Hormuz Crisis દરિયાઈ ટ્રાફિકમાં 95% થી વધુનો ઘટાડો, વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ.

by kalpana Verat
Strait of Hormuz Crisis  યુદ્ધના કારણે દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર તાળા.

 

News Continuous Bureau | Mumbai

Strait of Hormuz Crisis ઈરાન અને સંઘર્ષના કારણે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર ટ્રાફિક લગભગ બંધ થઈ ગયો છે. ફેબ્રુઆરી 2026 માં શરૂ થયેલા યુદ્ધ બાદ અહીં દરરોજ પસાર થતા સેંકડો જહાજોની સંખ્યા ઘટીને માત્ર 23 જ રહી ગઈ છે, જેનાથી ગ્લોબલ સપ્લાય ચેઈન (Global Supply Chain) પર ગંભીર અસર પડી છે.

Strait of Hormuz Crisis – પહેલાંની સ્થિતિ અને વૈશ્વિક તેલ બજારનું મહત્વ.

યુદ્ધ પહેલાં, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) દરિયાઈ વેપારની કરોડરજ્જુ સમાન હતું. અહીંથી દરરોજ 80 થી 130 થી વધુ જહાજો પસાર થતા હતા, જે વાર્ષિક આશરે 30,000 થી વધુ ટેન્કરોનો આંકડો પાર કરી જતા હતા. પોર્ટવોચ (PortWatch) ના ડેટા મુજબ, 2022 માં અહીંથી વિશ્વના કુલ તેલ નિકાસના 20% હિસ્સાનું પરિવહન થતું હતું. આ વિસ્તારથી દરરોજ 1.5 કરોડથી 2 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ (Crude Oil) અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવામાં આવતા હતા.

Strait of Hormuz Crisis – યુદ્ધ બાદ ટ્રાફિકમાં 95% નો ધરખમ ઘટાડો.

28 ફેબ્રુઆરીના હુમલા બાદ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. એક તરફ જ્યાં ફેબ્રુઆરીમાં દરરોજ સરેરાશ 100 જહાજો નીકળતા હતા, ત્યાં માર્ચ મહિનામાં આ સંખ્યા ઘટીને માત્ર 6 પર આવી ગઈ હતી. એપ્રિલ મહિનામાં તો સ્થિતિ એટલી કફોડી બની હતી કે આખા મહિનામાં માત્ર 191 જહાજો જ પસાર થઈ શક્યા હતા. સીઝફાયર (Ceasefire) થયા છતાં પણ 400 થી વધુ તેલના ટેન્કરો અને LNG/LPG કેરિયર્સ સુરક્ષિત રસ્તાની રાહમાં દરિયામાં જ લાંગરીને (Anchor) ઉભા રહેવા મજબૂર બન્યા હતા.

Strait of Hormuz Crisis – ભવિષ્ય અને અનિશ્ચિતતાના વાદળો.

10 જૂન 2026 ના રોજ ઈરાને કોમર્શિયલ અને ટેન્કર ટ્રાફિક માટે આ માર્ગ સંપૂર્ણ બંધ કરવાની જાહેરાત કરીને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે. હાલમાં પોલીમાર્કેટ (Polymarket) પર ટ્રેડર્સનો અંદાજ છે કે 30 જૂન સુધી આ રૂટ પર ટ્રાફિક સામાન્ય થવાની સંભાવના માત્ર 22.5% છે, એટલે કે 77.5% જેટલી નિષ્ફળતાની શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે જો કોઈ નક્કર સમજૂતી (Agreement) થાય તો પણ, સામાન્ય સ્થિતિમાં પરત ફરવા માટે હજુ કેટલાય અઠવાડિયા કે મહિનાઓ લાગી શકે છે.

👉 આ સમાચાર વાચો:
D2M Feature Phone હવે ઈન્ટરનેટ વગર જોઈ શકાશે ફ્રી લાઈવ ટીવી, ભારતમાં આવી રહ્યું છે ખાસ ફીચર ફોન.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More