ચીને ફૂંફાડો માર્યો. કહ્યું પાકીસ્તાનમાં ચીની નાગરિકોના મોતની કિંમત ચુકવવી પડશે.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાનમાં કામ કરતા ચીની નાગરિકો પર થયેલા તાજેતરના હુમલાની આકરી નિંદા કરતા કહ્યું કે ચીનીઓનું લોહી વહાવી શકાય નહીં અને આ ઘટના માટે જવાબદાર લોકો ચોક્કસ કિંમત ચૂકવશે. ચીનના આસિસ્ટન્ટ ફોરેન મિનિસ્ટર વુ જિઆંગહાઓએ આ મામલે પાકિસ્તાની રાજદૂતને ફોન કરીને ચિંતા વ્યક્ત કરી હતી. વુએ માગણી કરી હતી કે પાકિસ્તાનીઓએ તાત્કાલિક આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવી જાેઈએ. ગુનેગારોને પકડીને સજા થવી જોઈએ. પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે તમામ સંભવિત પગલાં લેવા જોઈએ. પાકિસ્તાનની આર્થિક રાજધાનીમાં ચીની નાગરિકોને નિશાન બનાવીને કરાયેલા તાજેતરના હુમલામાં બુરખા પહેરેલા એક બલૂચ આત્મઘાતી બોમ્બરે કરાચી યુનિવર્સિટીમાં શટલ પેસેન્જર વાનને ટક્કર મારી હતી, જેમાં ત્રણ ચીની શિક્ષકોના મોત થયા હતા. રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ પ્રવક્તાના હવાલાથી જણાવ્યું હતું કે ચીને હુમલા પર તેની "સખત નિંદા અને આક્રોશ" વ્યક્ત કર્યો છે, તેમજ પીડિતો અને ઘાયલો અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે તેની ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે વિસ્ફોટ પર શોક વ્યક્ત કર્યો હતો અને આવી ઘટનાઓનો સામનો કરવા માટે કેન્દ્રની સંપૂર્ણ મદદ અને સહયોગની ખાતરી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના સંક્રમિત થયા

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More