Site icon

રાવણના દેશમાં ગુંજશે શ્રીરામનો મહિમા, શ્રીલંકામાં બનશે રામાયણ સર્કિટ, ભારતીયોને મળશે આ સુવિધા

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અયોધ્યાથી હજારો કિલોમીટર દૂર દક્ષિણમાં રાવણના દેશમાં પણ ભગવાન શ્રી રામનો મહિમા થશે.

The glory of Shri Ram will echo in Ravana country

The glory of Shri Ram will echo in Ravana country

News Continuous Bureau | Mumbai

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અયોધ્યાથી હજારો કિલોમીટર દૂર દક્ષિણમાં રાવણના દેશમાં પણ ભગવાન શ્રી રામનો મહિમા થશે. ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ માટે શ્રીલંકામાં રામાયણ સર્કિટનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ તે જગ્યા છે જ્યાં ભગવાન શ્રી રામના ચરણ પડ્યા હતા. એટલું જ નહીં સીતા સર્કિટ પણ હશે. રાવણે સીતાજીને અહીં અશોક વાટિકામાં રાખ્યા હતા. રામાયણ સર્કિટની ખાસ વાત એ છે કે ભારતીય ભક્તોને તેને જોવાની સુવિધા પણ આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં ભારતીય ચલણ એટલે કે ભારતીય રૂપિયો પણ કામ કરશે.

Join Our WhatsApp Community

શ્રીલંકા સાથે ભારતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો

ખરેખર શ્રીલંકાનું ભારતીય મહાકાવ્ય રામાયણ સાથે સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણ છે. રામાયણમાં એવું વર્ણન છે કે જે આજે શ્રીલંકા છે, એ જ લંકાના રાજા દશાનન એટલે કે રાવણે સીતા મૈયાનું અપહરણ કર્યું હતું, ત્યારે ભગવાન રામે લંકામાં યુદ્ધ કર્યું અને રાવણનો વધ કર્યો હતો. રાવણ એક મહાન વિદ્વાન હતો. રામાયણમાં એવું પણ વર્ણન છે કે ભગવાન રામે પોતે લક્ષ્મણને કહ્યું હતું કે રાવણ પાસેથી જ્ઞાનની વાતો ગ્રહણ કૈં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકા રામાયણ સર્કિટને ફરીથી બનાવવાની પ્રક્રિયામાં છે, જેમાં એક અલગ સીતા સર્કિટ પણ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો:શું તમે નવો 5G સ્માર્ટફોન ખરીદવા માંગો છો?, એપ્રિલમાં મિડ-રેન્જના અનેક સ્માર્ટફોન લોન્ચ થશે.. જુઓ યાદી

શ્રીલંકામાં રામાયણ કાળના ઘણા રસપ્રદ સ્થળો

શ્રીલંકામાં એવા ઘણા ઐતિહાસિક સ્થળો છે, જેનું વર્ણન રામાયણમાં છે. શ્રીલંકામાં રામાયણના કેટલાક લોકપ્રિય ટ્રેલ્સમાં સિગિરિયાનો સમાવેશ થાય છે, જે એક પ્રાચીન પથ્થરનો કિલ્લો છે, જે રાજા રાવણનો મહેલ હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે રાવણે સીતાજીને સિગિરિયા શિલા પાસેની ગુફામાં બંદી બનાવીને રાખ્યા હતા. તે શ્રીલંકામાં પ્રવાસીઓની પ્રથમ પસંદગી પણ છે. નુવારા એલિયા શહેરમાં અશોક વાટિકા એ બીજું લોકપ્રિય સ્થળ છે. માન્યતા અનુસાર આ એ જ જગ્યા છે જ્યાં સીતા મૈયાને રાખવામાં આવ્યા હતા. અહીં હનુમાનજી સીતાજીને મળ્યા હતા અને તેમને ભગવાન રામની વીંટી આપી હતી.

આ જગ્યાઓ રામાયણ સર્કિટમાં હશે

ત્રિંકોમાલી શહેરમાં ઘણા પ્રખ્યાત મંદિરો છે, જે એક યા બીજી રીતે રામાયણ કાળ સાથે જોડાયેલા છે. કોનેશ્વરમ મંદિર એવું જ એક પ્રાચીન મંદિર છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ભગવાન રામે ભગવાન શિવના સન્માનમાં કરાવ્યું હતું. રામાયણ કાળથી સંબંધિત એવા કેટલાક સ્થળો છે, જે શ્રીલંકામાં જોઈ શકશે.

Trump visa cancellation record: ટ્રમ્પની વિઝા પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’: અમેરિકાએ હજારો ભારતીયોને આપ્યો મોટો ઝટકો, H-1B અને વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યો મુસીબતનો પહાડ.
Germany Transit Visa Exemption: જર્મનીએ ખોલ્યા ભારતીયો માટે દ્વાર! ટ્રાન્ઝિટ વિઝા વગર જ કરી શકશો જર્મનીના એરપોર્ટનો ઉપયોગ, જાણો મુસાફરોને કેટલો થશે ફાયદો.
US Tariff Threat: US Tariff Threat: ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ટ્રમ્પની કડક કાર્યવાહી; ભારત પર 75% સુધી ટેરિફ લાગવાનો ખતરો, અર્થતંત્ર પર થશે મોટી અસર.
US: બટન પર આંગળી અને હવામાં વિમાનો! ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અંતિમ ચેતવણી; અમેરિકી નાગરિકો માટે એરલિફ્ટની તૈયારી, શું આજે રાત્રે જ થશે હુમલો?
Exit mobile version