PM Modi: પ્રધાનમંત્રીએ પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલને શ્રદ્ધાંજલિ આપી

by Akash Rajbhar
The Prime Minister paid tributes at the Jam Sahib of Nawanagar Memorial in Warsaw, Poland

News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું કે, પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ, જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના માનવતાવાદી યોગદાનને ઉજાગર કરે છે, જેમણે બીજા વિશ્વયુદ્ધને કારણે ઘરવિહોણા થયેલા પોલેન્ડના બાળકોને આશ્રય અને સંભાળની ખાતરી આપી હતી. શ્રી મોદીએ પોલેન્ડના વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાની ઝલક પણ શેર કરી હતી.

આ સમાચાર પણ વાંચોઃ PM Modi: પ્રધાનમંત્રીએ મોન્ટે કેસિનોના યુદ્ધના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“માનવતા અને કરુણા એ ન્યાયી અને શાંતિપૂર્ણ વિશ્વના મહત્વપૂર્ણ પાયા છે. વોર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ, જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના માનવતાવાદી યોગદાનને ઉજાગર કરે છે, જેમણે બીજા વિશ્વયુદ્ધને કારણે ઘરવિહોણા થયેલા પોલિશ બાળકોને આશ્રય અને સંભાળની ખાતરી આપી હતી. પોલેન્ડમાં જામ સાહેબને પ્રેમથી ડોબરી મહારાજા તરીકે યાદ કરવામાં આવે છે.

સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. આ રહી કેટલીક ઝલક.”

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More