Bangladesh Crisis : બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનો તખ્તો તૈયાર. આ વ્યક્તિ બનશે નવા વડાપ્રધાન.

Bangladesh Crisis : બાંગ્લાદેશમાં હવે વચગાળાની સરકાર બનવા જઈ રહી છે જેની ધુરા સૈન્યના હાથમાં હશે.

by Hiral Meria
The throne of the interim government in Bangladesh is ready. This person will become the new Prime Minister.

 News Continuous Bureau | Mumbai  

Bangladesh Crisis : છેલ્લા ઘણા દિવસોથી ભારે અસ્થિરતા બાદ બાંગ્લાદેશમાં હવે વચગાળાની સરકાર ( Bangladesh Interim Government ) બનવા જઈ રહી છે. આ વચગાળાની સરકાર મોહમ્મદ યુનુસના ( Muhammad Yunus ) નેતૃત્વમાં બનશે.  

Bangladesh Crisis : મોહમ્મદ યુનુસ કોણ છે?

મહંમદ યુનુસ ( Bangladesh PM ) નોબેલ પ્રાઇઝ વિજેતા વ્યક્તિ છે. તેમણે બાંગ્લાદેશમાં ( Bangladesh  ) ગરીબો માટે બેન્કિંગ વ્યવસ્થા ઉભી કરી જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર બિરદાવવામાં આવી હતી. વર્ષ 2006માં મોહમ્મદ યુનુસને નોબેલ ( Nobel Prize Winner ) શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તેમના આ પ્રયત્નોને કારણે ગ્રામીણ ક્ષેત્રમાં લોકોને 100 ડોલર જેટલી રકમ લોન પર આપીને વ્યવસાય શરૂ કરવામાં આવ્યા હતા જેને કારણે લાખો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. 

આ સમાચાર પણ વાંચો :  Mumbai News: શું તમારી દુકાન બહાર હજી મરાઠીમાં પાટિયું નથી લાગ્યું? જરા આ સમાચાર વાંચી લ્યો…

મોહમ્મદ યુનુસના લોન મોડેલ ની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી અને તેના આધારે અમેરિકાએ પણ પોતાના દેશમાં ગરીબો માટે લોન શરૂ કરી. 84 વર્ષના મોહમ્મદ રાજનૈતિક ગતિવિધિઓમાં કદી સામેલ નહોતા. પરંતુ 2007માં તેમણે પોતાની પાર્ટી બનાવવાનો પ્રયત્ન કર્યો જેમાં તેઓ અસફળ રહ્યા

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More