Site icon News Continuous Bureau | Mumbai

Peter Navarro: યુક્રેન યુદ્ધ ‘મોદીનું યુદ્ધ’, ટ્રમ્પના સલાહકાર પીટર નેવારોએ ભારત પર ગંભીર આરોપ લગાવતા કહી આવી વાત

Peter Navarro: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નેવારોએ ભારત પર રશિયાનું સમર્થન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધને શાંત કરવાનો રસ્તો નવી દિલ્હીમાંથી પસાર થાય છે.

યુક્રેન યુદ્ધ પર ભારત સામે ટ્રમ્પ સલાહકારનો ગંભીર આરોપ

યુક્રેન યુદ્ધ પર ભારત સામે ટ્રમ્પ સલાહકારનો ગંભીર આરોપ

News Continuous Bureau | Mumbai
Peter Navarro: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સહાયક અને સલાહકાર પીટર નેવારોએ યુક્રેન-રશિયા સંઘર્ષને એક નવો વળાંક આપ્યો છે. બ્લૂમબર્ગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે યુક્રેનનું યુદ્ધ ‘મોદીનું યુદ્ધ’ છે અને આ યુદ્ધને શાંતિ તરફ લઈ જવાનો રસ્તો નવી દિલ્હીમાંથી પસાર થાય છે. તેમણે ભારત પર રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઈલ ખરીદીને મોસ્કોના યુદ્ધ મશીનરીને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમના આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકાએ ભારતીય સામાન પર 50% નો ટેરિફ લાગુ કર્યો છે, જે ભારત પર રશિયા પાસેથી તેલ ન ખરીદવા માટે દબાણ લાવવા માટે કરવામાં આવ્યું છે.

અમેરિકાના ઊંચા ટેરિફનો જવાબ

Join Our WhatsApp Channel

 પીટર નેવારોએ કહ્યું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દે તો તેને તરત જ અમેરિકાના ટેરિફમાં 25% ની રાહત મળી શકે છે. તેમણે ભારતીય નીતિઓની ટીકા કરતા કહ્યું કે, “ભારતને 25% ટેરિફનો લાભ મળી શકે છે જો તે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરીને યુદ્ધ મશીનરીને હરાવવામાં મદદ કરે. લોકશાહી દેશોનો સાથ આપવાને બદલે, તમે સત્તાધારીઓ સાથે સંબંધો બનાવી રહ્યા છો.” તેમણે વધુમાં કહ્યું કે ભારત અને ચીન વચ્ચે દાયકાઓથી શાંત યુદ્ધ ચાલી રહ્યું છે, અને રશિયા પણ ભારતનો મિત્ર નથી.

આ સમાચાર પણ વાંચો : Bigg Boss 19: બિગ બોસ 19 ના ઘર માં ગૌરવ ખન્ના એ મૃદુલ તિવારી સામે વ્યક્ત કર્યું તેનું દર્દ, બાળક ને લઈને કહી આવી વાત

ભારતીય અધિકારીઓ પર “અહંકાર” નો આરોપ

જ્યારે પીટર નેવારોને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ભારત સાથે વાતચીત કરી રહ્યું છે અને ટેરિફમાં કોઈ ફેરફાર થઈ શકે છે, ત્યારે તેમણે ભારતના વલણ પર નિરાશા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, “હું મૂંઝવણમાં છું. કારણ કે મોદી એક મહાન નેતા છે. આ એક પરિપક્વ લોકશાહી છે અને તેને પરિપક્વ લોકો ચલાવી રહ્યા છે.” બ્લૂમબર્ગ અનુસાર, નેવારોએ કહ્યું કે ભારતીયો આ બાબતમાં ખૂબ જ ‘અહંકારી’ છે. તેઓ કહે છે કે, “ઓહ, અમારી પાસે ઊંચા ટેરિફ નથી. ઓહ, આ અમારી સાર્વભૌમતા છે. અમે કોઈ પણ દેશ પાસેથી તેલ ખરીદી શકીએ છીએ.”

ભારતીય ક્રૂડ ઓઇલ ખરીદીથી અમેરિકાને નુકસાન

નેવારોએ ભારત પર મોસ્કોના યુદ્ધને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, “રશિયન તેલને ડિસ્કાઉન્ટ પર ખરીદીને, રશિયા એ પૈસાનો ઉપયોગ યુદ્ધ મશીનરી માટે કરે છે જેથી વધુ યુક્રેનિયનોને મારી શકાય.” તેમણે કહ્યું કે આના કારણે અમેરિકન અર્થવ્યવસ્થાને પણ નુકસાન થાય છે. “ગ્રાહકો, વ્યવસાયો અને દરેકને નુકસાન થાય છે કારણ કે ભારતના ઊંચા ટેરિફથી અમેરિકામાં નોકરીઓ, ફેક્ટરીઓ અને આવક ઘટે છે. અને પછી અમેરિકન કરદાતાઓને નુકસાન થાય છે કારણ કે આપણે ‘મોદીના યુદ્ધ’ને ભંડોળ પૂરું પાડવું પડે છે.” નેવારોએ ભારતને ‘રશિયન તેલ માટે લોન્ડ્રોમેટ’ પણ ગણાવ્યું.

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
US Strategy To Seize Kharg Island Iran ઈરાનની આર્થિક કરોડરજ્જુ પર ટ્રમ્પની નજર ૯૦% તેલ નિકાસના કેન્દ્ર ‘આ’ ટાપુ પર કબજાની ધમકી
Trump Canada Tariff 100 Year Old Law કેનેડા પર ટ્રમ્પનો પ્રહાર ૫૦ ટકા વધારાનો ટેરિફ ઝીંકી ૧૦૦ વર્ષ જૂનો કાયદો લાગુ કર્યો, વૈશ્વિક વેપાર યુદ્ધ તીવ્ર બન્યું
Exit mobile version