Site icon

Saudi Arabia Accident: સાઉદી અરબમાં ભીષણ માર્ગ અકસ્માત, આટલાભારતીય યાત્રીઓનાં મૃત્યુ; હેલ્પલાઇન નંબર જાહેર

મક્કાથી મદીના જતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અને ડીઝલ ટેન્કર વચ્ચે ગમખ્વાર ટક્કર; મૃતકોમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ હૈદરાબાદના રહેવાસી.

Saudi Arabia Accident સાઉદી અરબમાં ભીષણ માર્ગ અકસ્માત, આટલાભારતીય

Saudi Arabia Accident સાઉદી અરબમાં ભીષણ માર્ગ અકસ્માત, આટલાભારતીય

News Continuous Bureau | Mumbai

Saudi Arabia Accident  સાઉદી અરબમાં એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત થયો છે, જેમાં 42 ભારતીય યાત્રીઓનાં મોત થયાં છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ઉમરાહની ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને મક્કાથી મદીના જઈ રહેલી એક યાત્રી બસ અને એક ડીઝલ ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર થઈ. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટના મુફરિહત વિસ્તારમાં બની હતી અને મૃતકોમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ હૈદરાબાદના રહેવાસી હતા. દુર્ઘટના એટલી ગંભીર હતી કે ટક્કર બાદ બસમાં આગ લાગી ગઈ હતી.

Join Our WhatsApp Community

વિદેશ મંત્રી અને CM દ્વારા શોક વ્યક્ત

સાઉદી અરબમાં થયેલી આ ભીષણ દુર્ઘટના પર વિદેશ મંત્રી એસ. જયશંકરે શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે રિયાદ સ્થિત ભારતીય દૂતાવાસ અને જેદ્દાહ સ્થિત વાણિજ્ય દૂતાવાસ આ દુર્ઘટનાથી પ્રભાવિત ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને તમામ સંભવિત મદદ પૂરી પાડી રહ્યા છે. બીજી તરફ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને મુખ્ય સચિવ તથા પોલીસ મહાનિર્દેશકને સમગ્ર માહિતી મેળવવા માટે તાત્કાલિક નિર્દેશ આપ્યો છે.

અકસ્માતની વિગતો અને મૃત્યુનું કારણ

બસમાં સવાર તમામ ભારતીય યાત્રીઓ ઉમરાહની ધાર્મિક યાત્રા પૂરી કરીને મદીના તરફ જઈ રહ્યા હતા. માહિતી મુજબ, યાત્રીઓ ઊંઘમાં હતા, ત્યારે બાજુમાંથી આવી રહેલા ડીઝલ ટેન્કર સાથે બસની જોરદાર ટક્કર થઈ. ટક્કરના કારણે બસમાં ગંભીર નુકસાન થયું અને તેમાં ભીષણ આગ લાગી ગઈ. આ ગમખ્વાર અકસ્માતમાં 42 લોકોનાં મોત નીપજ્યાં છે અને અનેક યાત્રીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સાઉદી બચાવ ટીમોએ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Lokhandwala Minerva: મુંબઈના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો, આટલા માળ સાથે લોખંડવાલા મિનર્વા બન્યો ભારતનો સૌથી ઊંચો રહેણાંક ટાવર

હેલ્પલાઇન નંબર જાહેર અને રૂટની સુરક્ષા

મદીના પાસે ભારતીય ઉમરાહ યાત્રીઓ સાથે થયેલી આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, જેદ્દાહ સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે પીડિતોના પરિવારોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. મક્કા-મદીના હાઇવે ઉમરાહ અને હજ યાત્રીઓનો સૌથી વ્યસ્ત માર્ગ છે. આ માર્ગ પર દર વર્ષે હજારો ભારતીયો મુસાફરી કરે છે. અગાઉ 2023માં પણ આ જ વિસ્તારમાં થયેલા એક અકસ્માતમાં 20 લોકોના મોત થયા હતા, જેના કારણે આ માર્ગ પરની વાહનોની વધુ પડતી સંખ્યા અને સલામતી પર સવાલો ઊભા થયા છે.

Bolivia Plane Crash: બોલિવિયામાં સેનાનું વિમાન રનવે પરથી લપસી રોડ પર ખાબક્યું: ૧૫ લોકોના મોત; અકસ્માત બાદ હાઈવે પર ચલણી નોટોનો વરસાદ.
Afghanistan-Pakistan War Escalates: પાક.-અફઘાન વચ્ચે આરપારની જંગ: તાલિબાનના ડ્રોન હુમલાથી પાકિસ્તાની લશ્કરી મથકો ધ્રૂજ્યા; ૪૦ સૈનિકોના મોતથી ઇસ્લામાબાદમાં માતમ.
MODI IN ISRAEL: પીએમ મોદીનો પ્રવાસ પૂર્ણ, ૨૭ કરારો સાથે ભારત પરત ફરશે; એરપોર્ટ પર ભાવુક વિદાયના દ્રશ્યો..
Patience Has Run Out:ભારતની એન્ટ્રીથી પાકિસ્તાન ફફડ્યું! રક્ષામંત્રી ખ્વાજા આસિફનો સનસનીખેજ આરોપ- ‘તાલિબાને અફઘાનિસ્તાનને ભારતની કોલોની બનાવી દીધું’..
Exit mobile version