Site icon News Continuous Bureau | Mumbai

Trump India Pakistan Ceasefire :ટ્રમ્પનો મોટો દાવો: મેં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું, પાંચ ફાઈટર જેટ્સ તોડી પડાયા!

Trump India Pakistan Ceasefire :અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું: વેપાર સમજૂતીની ધમકીથી પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે મોટો સંઘર્ષ ટળ્યો.

Trump India Pakistan ceasefire :'Talked trade, stopped them from fighting': Donald Trump once again claims credit for India Pakistan ceasefire

Trump India Pakistan ceasefire :'Talked trade, stopped them from fighting': Donald Trump once again claims credit for India Pakistan ceasefire

News Continuous Bureau | Mumbai

Trump India Pakistan Ceasefire : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મોટો દાવો કર્યો છે કે તેમના હસ્તક્ષેપથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘ઑપરેશન સિંદૂર’ પછી સર્જાયેલું ગંભીર યુદ્ધ રોક્યું હતું. તેમણે કહ્યું કે લડાઈમાં પાંચ ફાઈટર જેટ્સ તોડી પડાયા હતા અને જો હથિયારોનો ઉપયોગ ચાલુ રહ્યો હોત તો કોઈ વેપાર સમજૂતી ન થાત.

Join Our WhatsApp Channel

 Trump India Pakistan Ceasefire :ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવાનો દાવો

અમેરિકી રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેના હાલાત બગડી રહ્યા હતા, જેને અમે વેપારના (Trade) માધ્યમથી સંભાળ્યા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, જો હથિયારોનો ઉપયોગ (Use of Weapons) ચાલુ રહ્યો, તો કોઈ વેપાર સમજૂતી (Trade Agreement) કરવામાં આવશે નહીં.   

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમણે ઘણા મોટા યુદ્ધો રોકવામાં મદદ કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાલાત ખૂબ ખરાબ થઈ ગયા હતા. લડાઈમાં લડાકુ વિમાન (Fighter Jets) તોડી પાડવામાં આવી રહ્યા હતા, કદાચ લગભગ પાંચ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. બંને દેશો પરમાણુ હથિયારોથી (Nuclear Weapons) સજ્જ છે અને એકબીજા પર હુમલો કરી રહ્યા હતા.

Trump India Pakistan Ceasefire :યુદ્ધ દરમિયાન તોડી પડાયેલા ફાઈટર જેટ્સ અને ટ્રમ્પનો ખુલાસો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન લડાકુ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. ટ્રમ્પે આ વાત વ્હાઇટ હાઉસમાં (White House) કેટલાક રિપબ્લિકન સાંસદો (Republican Senators) સાથે ડિનર દરમિયાન કહી. જોકે, તેમણે તે સ્પષ્ટ નથી કર્યું કે તોડી પડાયેલા વિમાન ભારતના હતા કે પાકિસ્તાનના. 

આ સમાચાર પણ વાંચો : Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્ર પહેલાં આવતીકાલે સર્વપક્ષીય બેઠક, સાંસદો ડિજિટલ હાજરી આપશે; આટલા બિલ પર થશે ચર્ચા..

 Trump India Pakistan Ceasefire :ભારત અને પાકિસ્તાનના દાવાઓનું વિશ્લેષણ

10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ (Ceasefire) થયાના થોડા દિવસો પછી, એર માર્શલ એ.કે. ભારતીએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનના ઘણા લડાકુ વિમાનોને તોડી પાડ્યા, પરંતુ તેમણે કોઈ સંખ્યા જણાવી નહીં. જ્યારે પાકિસ્તાને ભારતના દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે તેના ફક્ત એક વિમાનને “હળવું નુકસાન” થયું. પાકિસ્તાને દાવો કર્યો કે તેણે ભારતના છ લડાકુ વિમાનો તોડી પાડ્યા છે, જેમાં રાફેલ (Rafale) પણ સામેલ છે.

ટ્રમ્પના આ દાવાથી ભારત-પાકિસ્તાન સંબંધો અને ઐતિહાસિક ઘટનાઓ પર ફરીથી ચર્ચા શરૂ થઈ છે, ખાસ કરીને યુદ્ધ દરમિયાન વિમાન તોડી પાડવાની સંખ્યા અંગેના દાવાઓને લઈને.

 

 

Nepal Floods ભયાનક તારાજી નેપાળમાં પૂરથી મરણાંક વધીને ૩૩૨ પર પહોંચ્યો, ૨૮૮ ભારતીયો સંપર્ક વિહોણા
PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Exit mobile version