India-US Relations: 50% ટેરિફ થી પણ દબાણમાં ન આવ્યું ભારત તો ટ્રમ્પે યુરોપિયન દેશોને આપ્યો આવો આદેશ!

India-US Relations: અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે ભારત પર દબાણ વધારી દીધું છે. વ્હાઇટ હાઉસ એ યુરોપિયન દેશોને પણ ભારત પર તેવા જ પ્રતિબંધો લગાવવા અપીલ કરી છે જેવા અમેરિકાએ લગાવ્યા છે.

by Dr. Mayur Parikh
Donald Trump Tariffs

News Continuous Bureau | Mumbai
India-US Relations અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા અંગે ભારત પર દબાણ વધુ તેજ કરી દીધું છે. વ્હાઇટ હાઉસ દ્વારા હવે યુરોપિયન દેશોને પણ ભારત પર તેવા જ પ્રતિબંધો લગાવવા અપીલ કરવામાં આવી છે, જે અમેરિકાએ પોતે જ લગાવ્યા છે. ટ્રમ્પ પ્રશાસન ઇચ્છે છે કે યુરોપ ભારત થી થતી તેલ અને ગેસની ખરીદી સંપૂર્ણપણે બંધ કરે અને ગૌણ ટેરિફ પણ લગાવે. તિયાનજિનમાં યોજાનારી SCO શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનની મુલાકાત દરમિયાન ખાસ કરીને આ મુદ્દો ઉઠવાની અપેક્ષા છે.

‘ભારત રશિયાને મદદ કરી રહ્યું છે’ – અમેરિકાનો આરોપ

અમેરિકાનો આરોપ છે કે ભારત રશિયન ક્રૂડ ઓઇલ ખરીદીને મોસ્કોને આર્થિક મદદ આપી રહ્યું છે અને આ રીતે પરોક્ષ રીતે યુક્રેન યુદ્ધને “ઈંધણ” મળી રહ્યું છે. વોશિંગ્ટને ભારત પર 50% ટેરિફ લાદી દીધો છે. તેના જવાબમાં ભારતે પશ્ચિમી દેશો પર બેવડા વલણનો આરોપ લગાવતા કહ્યું કે, ચીન અને યુરોપ બંને મોટા પાયે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદી રહ્યા છે, પરંતુ તેમના પર કોઈ દંડાત્મક કાર્યવાહી થઈ નથી.

આ સમાચાર પણ વાંચો :  Trump Tariffs: 6 મહિનામાં સૌથી વધુ… વિદેશી રોકાણકારોએ આટલા કરોડ પાછા ખેંચ્યા, ટ્રમ્પ ટેરિફ થી બગડ્યો મૂડ

યુરોપની ચૂપકીદી અને ટ્રમ્પનો ગુસ્સો

India-US Relations એક રિપોર્ટ અનુસાર, ઘણા યુરોપિયન નેતાઓ જાહેરમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસોનું સમર્થન કરતા દેખાય છે, પરંતુ ગુપ્ત રીતે અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન શિખર વાર્તામાં થયેલી પ્રગતિને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે યુરોપિયન દેશો દ્વારા યુક્રેન પર “વધુ સારી ડીલ” માટે દબાણ કરવાથી યુદ્ધ વધુ લાંબુ ચાલી રહ્યું છે. આ જ કારણે વ્હાઇટ હાઉસ યુરોપના નેતાઓથી નારાજ છે.

તિયાનજિનમાં થશે મહત્વની વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી બે દિવસમાં તિયાનજિનમાં યોજાનારા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન માં મુલાકાત કરશે. રાજદ્વારી સૂત્રોનું કહેવું છે કે ભારત પર લાગેલા અમેરિકી ટેરિફ અને રશિયા-યુક્રેન યુદ્ધ તિયાનજિનની આ બેઠકોમાં ચર્ચાના મુખ્ય મુદ્દા રહેશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More