તુર્કીમાં આવવાનો છે વિનાશકારી ભૂકંપ.. આમને પહેલેથી જ ખબર હતી. આવી રીતના આપ્યું હતું એલર્ટ.. જુઓ વીડિયો 

by kalpana Verat
Turkey Video shows birds flying chaotically just before earthquake- WATCH

News Continuous Bureau | Mumbai

વિશ્વ હાલમાં ઈતિહાસની સૌથી મોટી પ્રાકૃતિક દુર્ઘટનાનું સાક્ષી બન્યું છે. તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપને કારણે આખી દુનિયાના ચોંકી ઉઠી છે. ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા હજુ વધવાની સંભાવના છે. બચાવકર્તાઓ હજારો ઇમારતોના કાટમાળમાં દબાયેલા લોકોને શોધવાનું કામ કરી રહ્યા છે. વિશ્વભરના દેશોએ બચાવ અને રાહત કામગીરીમાં મદદ માટે ટીમો મોકલી છે. દરમિયાન ભૂકંપ બાદના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

હાલમાં તુર્કીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ પહેલા આ પક્ષીઓએ પોતાનું રહેઠાણ છોડી દીધું હતું અને આકાશમાં આમતેમ ફરવા લાગ્યા હતા. તો શું પ્રાણીઓ અને પક્ષીઓને ભૂકંપ વિશે અગાઉથી જ ખબર પડી જાય છે. શું આ બાબતમાં કોઈ સત્ય છે? ચાલો આજે તમને આ રહસ્ય વિશે જણાવીએ.

આ સમાચાર પણ વાંચો : Business / ભારત-પાકિસ્તાન વચ્ચે અબજો ડોલરનો થયો વેપાર, સરકારે આપી જાણકાર

જ્યોતિષના મતે આ વાત સાચી છે. પશુ-પક્ષીઓ એવા જીવ હોય છે જેમને ભૂકંપ જેવી કુદરતી આફતોનો અદાજ પહેલા જ આવી જાય છે. આનું કારણ જમીનની નીચેથી ભૂકંપના શોક વેવ પહેલા એક નીચી ફ્રીક્વેન્સી ધ્વનિ તરંગો છે. આ નીચી ફ્રીક્વેન્સી ધ્વનિ તરંગોને માણસો સાંભળી શકતા નથી. પશુ-પક્ષીઓ માટે આ તરંગો ડરામણા અવાજ જેવો હોય છે, તેથી જ તેઓ દુર્ઘટના પહેલા વિચિત્ર હરકતો કરવા લાગે છે.
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More