Site icon

યુએનમાં પાકિસ્તાનનો કાશ્મીર પર આલાપ, ભારતે એકી ઝાટકે કરી દીધી બોલતી બંધ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 'મહિલા, શાંતિ અને સુરક્ષા' મુદ્દા પર આયોજિત ચર્ચામાં, પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પર ભારતે પણ વિશ્વ સમુદાય ની સામે તેમની ઝાટકણી કાઢી હતી.

'Unworthy To Even Respond': India Rebukes Pakistan For Raising Kashmir Issue At UN Debate On Women

યુએનમાં પાકિસ્તાનનો કાશ્મીર પર આલાપ, ભારતે એકી ઝાટકે કરી દીધી બોલતી બંધ

News Continuous Bureau | Mumbai

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ‘મહિલા, શાંતિ અને સુરક્ષા’ મુદ્દા પર આયોજિત ચર્ચામાં, પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પર ભારતે પણ વિશ્વ સમુદાય ની સામે તેમની ઝાટકણી કાઢી હતી. જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે યુએન માં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે ‘આવા દૂષિત પ્રચાર’નો જવાબ આપવો પણ યોગ્ય નથી.

Join Our WhatsApp Community

યુએનની બેઠકો દરમિયાન કાશ્મીર નો અવાજ ઉઠાવવો એ પાકિસ્તાનનો સ્વભાવ રહ્યો છે. હવે મહિલા દિવસના અવસર પર ‘મહિલા, શાંતિ અને સુરક્ષા’ની ચર્ચામાં પાકિસ્તાન ફરી એકવાર કાશ્મીર પર રડ્યું છે.

આ તીખી પ્રતિક્રિયા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આ મહિને મોઝામ્બિક ના રાષ્ટ્રપતિ ના નેતૃત્વમાં UNSCમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ પર ચર્ચા દરમિયાન જમ્મુ અને કાશ્મીર નો ઉલ્લેખ કર્યા પછી આવી છે. તેવી જ રીતે, કાશ્મીરનો મુદ્દો બેઠકોમાં ઉઠાવવામાં આવે છે જ્યાં પાકિસ્તાન તરફથી અન્ય કોઈ વિષય પર ચર્ચા થાય છે, તો તે પણ શરમમાં મુકાઈ છે. તાજેતરમાં જ પાકિસ્તાનની મંત્રી હિના રબ્બાની ખારે પણ આવું જ કર્યું હતું, ત્યારે ભારતીય પ્રતિનિધિએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો.

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ની ટિપ્પણી નો જવાબ આપતા રુચિરા કંબોજે મંગળવારે તેમના નિવેદનને પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું હતું. રુચિરાએ કહ્યું, “મારું ભાષણ પૂરું કરતાં પહેલાં, હું જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ ને લઈને પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી વ્યર્થ, પાયાવિહોણી અને રાજકીય રીતે પ્રેરિત ટિપ્પણીને નકારી કાઢું છું.”

આ સમાચાર પણ વાંચો: International Women’s Day: દુનિયાની આવી 5 પાવરફૂલ મહિલાઓ જેમના જેવી બનવાનું દરેક છોકરીનું સપનું

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ‘મહિલા, શાંતિ અને સુરક્ષા’ વિષય પર ચર્ચા દરમિયાન, રુચિરા કંબોજે કહ્યું, “મારું પ્રતિનિધિમંડળ માને છે કે આવા દૂષિત અને ખોટા પ્રચાર નો જવાબ આપવો યોગ્ય નથી. તેનાથી વિપરીત, આપણું ધ્યાન હકારાત્મક અને આગળની વિચારસરણી હોવી જોઈએ. મહિલાઓ, શાંતિ અને સુરક્ષાના એજન્ડાને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવાના અમારા સામૂહિક પ્રયાસો ને મજબૂત કરવા માટે આજની ચર્ચાઓ મહત્વપૂર્ણ છે.”

‘મહિલા, શાંતિ અને સુરક્ષા’ વિષયને આવશ્યક ગણાવતા ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે અમે આના પર ચર્ચાના વિષય નું સન્માન કરીએ છીએ અને સમયના મહત્વને ઓળખીએ છીએ. આપણું ધ્યાન આ વિષય પર કેન્દ્રિત હોવું જોઈએ. 

Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
G20 Summit: PM મોદીનો ત્રણ દિવસનો G20 કાર્યક્રમ: દક્ષિણ આફ્રિકામાં કયા કયા મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે? જાણો સંપૂર્ણ વિગતો
Operation Sindoor: ઓપરેશન સિંદૂર માં ભારતે પાકિસ્તાનના કેટલા ફાઇટર જેટ તોડી પાડ્યા? મોટો ખુલાસો, ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો!
Nepal: નેપાળમાં ફરી શરૂ થયો ‘જનરેશન Z’ નો વિરોધ, અનેક શહેરોમાં કર્ફ્યુ લાગુ
Exit mobile version