કોરોનાના ભરડામાં આવ્યો વિશ્વનો આ શક્તિશાળી દેશ, અત્યાર સુધી 8 લાખ લોકોના મોત; ઓમિક્રોનને લઈ નિષ્ણાંતોએ આપી ચેતવણી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021

ગુરુવાર

અમેરિકામાં કોરોના વાયરસના કારણે પ્રથમ મૃત્યુ સિએટલ વોશિંગ્ટનમાં નોંધાયું હતું. જેને ૬૫૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજુ પણ સ્થિતિ કાબુમાં આવી શકી નથી. ફાઈઝર રસી સૌપ્રથમ અમેરિકામાં મંજૂર કરવામાં આવી હતી. ગત શિયાળાથી લોકોને લગાડવામાં આવી રહ્યું છે. તે સમયે ૩૦૦,૦૦૦ થી વધુ મૃત્યુ નોંધાયા હતા આ વર્ષે એપ્રિલમાં, વધુ બે રસીઓ – મોડર્ના અને સિંગલ-ડોઝ જાેન્સન એન્ડ જાેન્સન મંજૂર કરવામાં આવી હતી. ત્રણેય રસીઓ તમામ ઉંમરના પુખ્ત વયના લોકોને આપવામાં આવી રહી છે.અમેરિકામાં મૃત્યુઆંક અન્ય કોઈપણ દેશ કરતા વધુ છે. બ્રાઝિલ વિશ્વનો બીજાે સૌથી વધુ કોરોના વાયરસથી પ્રભાવિત દેશ છે. જ્યાં ૬,૧૬,૦૦૦ થી વધુ લોકોના મોત થયા છે. ભારત ત્રીજા સ્થાને છે. અહીં ૪૭૫,૦૦૦ થી વધુ મૃત્યુ થયા છે. રાષ્ટ્રપતિ જાે બાઈડને લોકોને રસી લેવા માટે અપીલ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે લોકોને રસી ન મળવાને કારણે કેસોમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન, ડૉ. એન્થોની ફૌસી, યુએસ પ્રમુખ જાે બાઈડનના મુખ્ય તબીબી સલાહકારે જણાવ્યું હતું કે નવી ઓમિક્રોન વેરિઅન્ટ યુએસમાં ફેલાતો મુખ્ય પ્રકાર બની શકે છે.૮૦૦,૦૦૦નો આ આંકડો બોસ્ટન અથવા વોશિંગ્ટન ડીસી જેવા શહેરોની કુલ વસ્તી કરતાં વધુ છે. આશ્ચર્યજનક રીતે, રોગચાળામાં મૃત્યુ પામેલા અમેરિકનોની સંખ્યા બીજા વિશ્વ યુદ્ધમાં જીવ ગુમાવનારા અમેરિકનો કરતા બમણી છે. અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા ૮ લાખને વટાવી ગઈ છે. આ દેશ વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. અમેરિકામાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક ૮૦૦,૦૦૦ ને વટાવી ગયો છે. આ સંખ્યા વિશ્વના કોઈપણ દેશ કરતા વધુ છે. આ ઉપરાંત, સોમવારે, સંક્રમિત કુલ કેસોની સંખ્યા ૫ કરોડને વટાવી ગઈ છે. રસી લીધા વિના લોકો અને વૃદ્ધોમાં મૃત્યુ દર વધવાની સંભાવના છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૨૧માં ગયા વર્ષની સરખામણીમાં વધુ મોત નોંધાશે. દેશમાં ફરી એકવાર મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. છેલ્લા ૧, ૦૦,૦૦૦ મૃત્યુ માત્ર ૧૧ અઠવાડિયામાં થયા છે. જે ગયા શિયાળા કરતા વધુ છે. જ્હોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના રોગચાળાના નિષ્ણાત ડૉ. કેરી અલ્થોફે જણાવ્યું હતું કે, ‘આપણે જે રોગ જાેઈ રહ્યા છીએ તે ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી વસ્તીમાં હાર્ડ ઇમ્યુનીટીનું એક લેવલ ન હોય, જે રોગને અટકાવી શકે. અમે હજી તે સ્તરે પહોંચ્યા નથી.’

મહારાષ્ટ્રમાં વઘી રહ્યું છે ઓમિક્રોનનું સંક્ર્મણ, મંત્રી અસલમ શેખે ક્રિસમસ અને નવા વર્ષને લઈને જારી કર્યો આ આદેશ 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More