Site icon

Operation Ajay: ઈઝરાયેલ-હમાસના યુદ્ધ વચ્ચે ભારતનું ઓપરેશન ‘અજય’ તેજ, આજે વધુ આટલા ભારતીયો પહોંચ્યા દિલ્હી..

Operation Ajay : ભારતે ઈઝરાયેલમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે 'ઓપરેશન અજય' શરૂ કર્યું છે. આ અંતર્ગત બીજી ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ છે.

235 Indians onboard Operation Ajay’s second flight from Israel reach Delhi

235 Indians onboard Operation Ajay’s second flight from Israel reach Delhi

News Continuous Bureau | Mumbai 

Operation Ajay : ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ(Israel hamas war) ને કારણે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં છે. ઈઝરાયેલમાં લગભગ 18 હજાર ભારતીયો(indians) હાજર છે, યુદ્ધના અવાજને જોઈને ભારતે ત્યાંથી પોતાના નાગરિકોને પરત લાવવાની તૈયારી કરી લીધી છે. ભારતે ઈઝરાયેલમાંથી પોતાના નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન અજય (Operation Ajay) શરૂ કર્યું છે. આ ઈવેક્યુએશન ઓપરેશન હેઠળ ઈઝરાયેલથી ભારતીયોનો બીજો કાફલો આજે દિલ્હી(Delhi) પહોંચી ગયો છે. 235 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન દિલ્હી પહોંચ્યું છે. નાગરિકોના સ્વાગત માટે વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજન સિંહ ( MoS MEA Rajkumar Ranjan Singh) એરપોર્ટ પર હાજર છે.

Join Our WhatsApp Community

વધુ 235 નાગરિકો ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

ભારતીય નાગરિકોના આ બીજા કાફલામાં(second batch) બે નવજાત શિશુઓ સહિત 235 નાગરિકોનો સમાવેશ થાય છે. શુક્રવારે તેઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક સમય અનુસાર રાત્રે 11 વાગ્યે વિમાને ઈઝરાયેલથી ઉડાન ભરી હતી. આના એક દિવસ પહેલા 212 ભારતીયોને વિશેષ વિમાન (special flight) દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા. ભારતે ગુરુવારે ઓપરેશન અજયની જાહેરાત કરી હતી. તેનો હેતુ ઈઝરાયેલમાં રહેતા ભારતીયોની સુરક્ષિત પરત ફરવાનો છે. આ ઓપરેશન દ્વારા ઈઝરાયલ (Israel) થી એવા જ લોકોને લાવવામાં આવી રહ્યા છે જેઓ ત્યાંથી આવવા ઈચ્છે છે.

 

શનિવારે પણ કામગીરી ચાલુ રહેશે

ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે કહ્યું છે કે ભારતીય નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા આજે પણ ચાલુ રહેવાની છે. એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર) પર લખ્યું, ‘દૂતાવાસે આજે વિશેષ ફ્લાઇટ માટે નોંધાયેલા ભારતીય નાગરિકોની આગામી બેચને ઈમેલ કરી છે. અનુગામી ફ્લાઇટ્સ માટે અન્ય નોંધાયેલા લોકોને સંદેશ મોકલવામાં આવશે. મુસાફરોની પસંદગી ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ’ના આધારે કરવામાં આવી રહી છે. આ માટે મુસાફરોએ દૂતાવાસના ડેટાબેઝમાં તેમની માહિતી ભરવાની રહેશે.

આ સમાચાર પણ વાંચો : Facial Rollers : ચહેરાની ઘણી સમસ્યાઓનો ઉકેલ છે ફેસ રોલર, જાણો ફાયદા અને ઉપયોગ કરવાની સાચી રીત..

કેટલા ભારતીયો રહે છે ઇઝરાયેલમાં ?

ઈઝરાયેલમાં રહેતા ભારતીયોની સંખ્યા 18000 છે. આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ, આઇટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે. ભારત પરત ફરી રહેલા લોકોને પરત લાવવાનો ખર્ચ સરકાર પોતે ઉઠાવી રહી છે. હમાસે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલ પર હુમલો કર્યો હોવાથી ભારતીય નાગરિકોને પરત મોકલવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ઈઝરાયલ પર માત્ર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો ન હતો, પરંતુ જમીન પર ઘૂસણખોરી પણ કરવામાં આવી હતી. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયેલે ગાઝા પર શાસન કરતા ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ હમાસ સામે અભૂતપૂર્વ આક્રમણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે, કારણ કે તેના લડવૈયાઓએ સરહદની વાડ તોડીને 7 ઓક્ટોબરના રોજ ઘાતક હુમલા કરીને દેશના દક્ષિણમાં પ્રવેશ કર્યો હતો. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું છે કે ઇઝરાયેલમાં 155 સૈનિકો સહિત 1,200 થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે ગાઝાના અધિકારીઓનું કહેવું છે કે 950 લોકો માર્યા ગયા છે, જેમાં 260 બાળકો અને 230 મહિલાઓનો સમાવેશ થાય છે.

Gold Rates Crash Amid US-Iran Conflict: સોનાના ભાવમાં કડાકો! ઈરાન-અમેરિકા જંગ વચ્ચે બજારમાં મોટો ઉલટફેર; ચાંદી પણ થઈ નરમ, જુઓ આજનું પ્રાઇસ લિસ્ટ
Nitish Kumar Breaks Silence: નીતીશ કુમાર હવે દિલ્હી જવાની તૈયારીમાં! રાજ્યસભા જવાની જાહેરાત સાથે નવી સરકારને આપ્યું સમર્થન; બિહારમાં નવા યુગની શરૂઆત.
Strait of Hormuz Security: ઈરાનના ‘હોર્મુઝ ચોકપોઈન્ટ’ પર ટ્રમ્પની સીધી નજર! ભારત સહિત અનેક દેશોને મોટી રાહત આપતી વ્યૂહરચનાનો ખુલાસો; વાંચો લેટેસ્ટ અપડેટ
US Firing Missiles from Indian Ports?: દુનિયામાં ચર્ચા, પણ ભારતનું વલણ સ્પષ્ટ! ભારતીય બંદરો અને અમેરિકી મિસાઈલના દાવા પાછળનું શું છે રહસ્ય? વાંચો વિદેશ મંત્રાલયનો ખુલાસો
Exit mobile version