કેટલાક દેશોએ કોરોનાના પ્રતિબંધોથી લોકોને મુક્તિ આપી, હવે WHOએ આપી આ ચેતવણી; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022          

બુધવાર. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને લઈને ફરીથી લોકોને ચેતવણી આપી છે. 

WHOએ કહ્યું કે વિશ્વના ઘણા દેશોમાં ઓમિક્રોન વેવની પિક આવવાની બાકી છે. તેથી કોવિડ -19 પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવે.

સાથે જ પ્રતિબંધો હટાવાની ભૂલ ન કરશો જો સંક્રમણ વધ્યું તો મોતનો આંકડો પણ વધી શકે છે.

આ ઉપરાંત અપીલ કરી છે કે, ઘણા દેશોમાં કોરોના રસીકરણનો દર ઘણો ઓછો છે અને આ દેશોની નબળી આબાદીને કોવિડ-19 રસી મળી નથી. તેથી, આવા સમયે, એક સાથે તમામ પ્રતિબંધો દૂર કરવા જોઈએ નહીં.

ઉલ્લેખનીય છે કે, વિશ્વના કેટલાક દેશોની સરકાર દ્વારા પણ પ્રતિબંધોને હટાવી લેવામાં આવ્યા છે.   

શું ઠાકરે સરકાર  સુપર માર્કેટમાં વાઈનના વેચાણ અંગેનો નિર્ણય પાછો ખેંચશે? એનસીપી સુપ્રીમો શરદ પવારે આપ્યું મોટું નિવેદન; જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More