News Continuous Bureau | Mumbai
Roasted Turmeric: ઘણીવાર તડકામાં રહેવાને કારણે કે હોર્મોનલ ફેરફારને કારણે ચહેરો કાળો પડી જતો હોય છે, જેને આપણે ટેનિંગ કહીએ છીએ. આ ટેનિંગ દૂર કરવા માટે લોકો અવનવી ફેયરનેસ ક્રીમ વાપરે છે, પણ ધાર્યું પરિણામ મળતું નથી. એક નિષ્ણાત એ શેકેલી હળદરનો એક એવો નુસ્ખો જણાવ્યો છે જે ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવે છે. હળદરમાં કર્ક્યુમિન અને એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે ત્વચાનો સોજો અને ખીલ ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે તેને શેકવામાં આવે છે, ત્યારે તેના ગુણો વધુ પ્રભાવી બને છે જે સનબર્ન અને કાળા ડાઘને દૂર કરવામાં રામબાણ કામ કરે છે.
પેક બનાવવા માટેની સામગ્રી
હળદર (જરૂર મુજબ)
કોફી પાવડર
લીંબુનો રસ
મધ
આ સમાચાર પણ વાંચો: Tragedy at Bandra Station: બાંદ્રા સ્ટેશન પર પથ્થરમારો: સામાન્ય ઝઘડામાં નિર્દોષ મુસાફરે એક આંખ ગુમાવી, યુપીના આઝમગઢનો હુમલાખોર ઝડપાયો.
પેક બનાવવાની અને લગાવવાની રીત
હળદર શેકવી: સૌ પ્રથમ એક તવા પર હળદર લો અને તેને બરાબર શેકી લો (ત્યાં સુધી કે તેનો રંગ થોડો બદલાય).
મિશ્રણ તૈયાર કરવું: શેકેલી હળદરમાં થોડો કોફી પાવડર (Coffee Powder) અને લીંબુનો રસ ઉમેરો.
મધ ઉમેરવું: છેલ્લે આ મિશ્રણમાં મધ ઉમેરીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો.
ઉપયોગ: આ પેસ્ટને સાફ કરેલા ચહેરા પર 10 થી 15 મિનિટ માટે લગાવો. ત્યારબાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લો. આ પ્રયોગ અઠવાડિયામાં 1 કે 2 વાર કરી શકાય છે.
આ નુસ્ખાથી થતા ફાયદા
ટેનિંગમાં ઘટાડો: સૂર્યના કિરણોથી થયેલી કાળાશ ઝડપથી દૂર થાય છે.
કુદરતી ચમક: ચહેરા પર નેચરલ ગ્લો (Natural Glow) આવે છે અને ડલનેસ ઘટે છે.
રંગતમાં સુધારો: ત્વચાની રંગત સાફ થાય છે અને સ્કિન ટોન સુધરે છે.
ખીલથી રાહત: એન્ટી-બેક્ટેરિયલ ગુણોને કારણે ખીલ અને ડાઘામાં ઘટાડો થાય છે.