News Continuous Bureau | Mumbai
hair washing tips વાળ ખરવાની સમસ્યાથી બચવા માટે આપણે મોંઘા શેમ્પૂ અને કન્ડિશનર વાપરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે વાળ ધોવાની રીત અને તેની સંખ્યા પણ એટલી જ મહત્વની છે? નિષ્ણાતોના મતે, જેવી રીતે છોડના વિકાસ માટે સારી માટીની જરૂર હોય છે, તેવી જ રીતે મજબૂત વાળ માટે સ્વસ્થ સ્કેલ્પ જરૂરી છે.એક સ્ટાઈલિશ ના જણાવ્યા મુજબ, ૧ અઠવાડિયાથી વધુ સમય સુધી વાળ ન ધોવા હિતાવહ નથી. ભલે તમારા વાળ બહારથી સાફ દેખાતા હોય, પરંતુ પ્રદૂષણ, ધૂળ અને પરસેવાના કણો સ્કેલ્પ પર જમા થઈ જાય છે, જે વાળના મૂળને નબળા પાડે છે.
વાળ ધોવા કેમ જરૂરી છે?
જ્યારે આપણે અઠવાડિયામાં ૨ થી ઓછી વાર વાળ ધોઈએ છીએ, ત્યારે સ્કેલ્પના રોમછિદ્રો બંધ થઈ જાય છે. આનાથી ખોપરીની ત્વચાને ઓક્સિજન મળતો બંધ થાય છે, જેના કારણે ખંજવાળ, ડેન્ડ્રફ (ખોડો) અને વાળ ખરવા જેવી સમસ્યાઓ શરૂ થાય છે. લખનઉના રિસર્ચ સેન્ટર મુજબ, પ્રદૂષણને કારણે સ્કેલ્પ પર સોજો કે બળતરા થઈ શકે છે જે ટાલ પડવાનું મુખ્ય કારણ બની શકે છે.
આ સમાચાર પણ વાંચો : Loss of Appetite Causes: શું તમને પણ ભૂખ નથી લાગતી? સાવધાન! આ ગંભીર બીમારીઓના હોઈ શકે છે સંકેત
તમારા વાળના પ્રકાર મુજબ કેટલી વાર ધોવા?
વાળ ધોવા માટેનો કોઈ એક સર્વસામાન્ય નિયમ દરેક વ્યક્તિને લાગુ પડતો નથી, કારણ કે દરેકની લાઈફસ્ટાઈલ અને રહેઠાણની પરિસ્થિતિ અલગ હોય છે. નિષ્ણાતોના મતે, વાળના પ્રકાર અને સ્કેલ્પની સ્થિતિ મુજબ વાળ ધોવાનું શેડ્યૂલ નક્કી કરવું જોઈએ. જે લોકોના સ્કેલ્પ ઓઈલી હોય અથવા જેમના વાળ પાતળા હોય, તેમણે અઠવાડિયામાં ૩ થી ૪ વાર વાળ ધોવા જોઈએ જેથી તેલ અને ધૂળ જમા ન થાય. જેમના વાળ અને સ્કેલ્પ સામાન્ય શ્રેણીમાં આવે છે, તેમના માટે અઠવાડિયામાં ૨ થી ૩ વાર વાળ ધોવા પૂરતા છે. જોકે, જેમના વાળ અત્યંત શુષ્ક (ડ્રાય) અથવા વાંકડિયા હોય, તેમણે અઠવાડિયામાં માત્ર ૧ થી ૨ વાર જ વાળ ધોવા જોઈએ, જેથી વાળમાં રહેલું કુદરતી મોઈશ્ચર જળવાઈ રહે અને ટાલ પડવાની સમસ્યામાં ઘટાડો થાય.