News Continuous Bureau | Mumbai
Alum for skin: મોટાભાગના લોકો વાસ્તુ અને ઘર સંબંધિત કામોમાં ફટકડી (Alum)નો ઉપયોગ કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે તે તમારી ત્વચા(Skin) માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, ફટકડી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણોથી ભરપૂર છે. તે બેક્ટેરિયાને મારી નાખે છે અને ચહેરાની બળતરા અને ખંજવાળ ઘટાડે છે સાથે જ ત્વચાને ચમકદાર (Glowing skin) બનાવે છે. ત્વચા માટે ફટકડીનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. મોટાભાગના લોકો તેને પાણીમાં ઓગાળીને ચહેરા પર લગાવે છે. પરંતુ જો તમે આ ત્રણ રીતે ફટકડી લગાવો છો તો તમને વધુ લાભ મળી શકે છે.
ફટકડી સાથે ગુલાબજળ લગાવોઃ
ખોવાયેલ નિખારને પાછો લાવવા માટે ફટકડી એક સારો વિકલ્પ છે. તમે તેને ગુલાબજળ સાથે લગાવી શકો છો. તેને તૈયાર કરવા માટે સૌથી પહેલા ફટકડીનો પાવડર બનાવી લો. હવે એક ચમચી ફટકડી પાવડર માં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પછી, તૈયાર કરેલી પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. હવે સર્ક્યુલેશન મોશનમાં ચહેરા પર હળવા હાથે મસાજ કરો. લગભગ 15 મિનિટ લગાવ્યા બાદ ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો. જો કે ધ્યાન રાખો કે સાબુ કે ફેસ વોશથી ચહેરો ન ધોવો. આ પછી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. તમે અઠવાડિયામાં બે વાર આ પેસ્ટ લગાવી શકો છો.
આ સમાચાર પણ વાંચો : G20 Summit : પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના સાથે મુલાકાત કરી…
ફટકડી સાથે ગ્લિસરીન ટોનર:
ચહેરાને ચમકદાર બનાવવા માટે તમે ફટકડી સાથે ગ્લિસરીનનો પણ ઉપયોગ કરી શકો છો. તમે તેનો ઉપયોગ ટોનર તરીકે કરી શકો છો. તેને લગાવવા માટે એક પેનમાં પાણી ગરમ કરો. હવે તેમાં ફટકડીમાંથી તૈયાર કરેલો પાવડર અને તુલસીના થોડા પાન ઉમેરો. પાણી બરાબર ઉકળે એટલે ગેસ બંધ કરી દો. જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે તેમાં ગ્લિસરીનના થોડા ટીપા નાખીને મિક્સ કરો. હવે તમે તમારા ચહેરા પર આ ટોનરનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી ત્વચામાં ચુસ્તતા આવે છે અને ચહેરાની સમસ્યાઓથી પણ રાહત મળે છે. તમે આ ટોનરને દિવસમાં 1 થી 2 વખત પણ લગાવી શકો છો.
ફટકડી સાથે લગાવો મુલતાની માટીઃ
ચહેરાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે ફટકડી અને મુલતાની માટીની પેસ્ટ પણ લગાવી શકો છો. તેને બનાવવા માટે, ફટકડી પાવડર લો, જેમાં તમે મુલતાની માટી, ગુલાબ જળ અથવા એલોવેરા જેલ મિક્સ કરો. બધું બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવીને હળવા હાથે સ્ક્રબ કરો. લગભગ 20 મિનિટ પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આમ કરવાથી ચહેરા પરથી ખીલના ડાઘ પણ દૂર થઈ શકે છે. આ સિવાય આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી બળતરા અને લાલાશમાં પણ રાહત મળે છે.
(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)