Adhik Maas 2026| અધિક માસ ૨૦૨૬ દર ૩ વર્ષે કેમ આવે છે આ વધારાનો મહિનો? જાણો તેનું ધાર્મિક મહત્વ અને અદ્ભુત પૌરાણિક રહસ્ય

Adhik Maas 2026| દર ત્રણ વર્ષે આવતા મલમાસની ૧૭ મે થી શરૂઆત, હિરણ્યકશ્યપના વધ માટે ભગવાન વિષ્ણુએ રચ્યો હતો તેરમો મહિણો

by Janvi Soni
Adhik Maas 2026| અધિક માસ ૨૦૨૬ દર ૩ વર્ષે કેમ આવે છે આ વધારાનો મહિનો? જાણો તેનું ધાર્મિક મહત્વ અને અદ્ભુત પૌરાણિક રહસ્ય

 

News Continuous Bureau | Mumbai

Adhik Maas 2026| હિન્દુ પંચાંગ અને શાસ્ત્રો અનુસાર જે ચંદ્ર માસમાં સૂર્ય સંક્રાંતિ થતી નથી, તેને સામાન્ય ભાષામાં અધિક માસ અથવા મલમાસ કહેવામાં આવે છે. દર ત્રણ વર્ષના અંતરાલ પછી આવતા આ વિશેષ મહિનાને પવિત્ર પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ વર્ષે ૧૭ મે થી ૧૫ જૂન સુધી અધિક માસ રહેશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર બ્રહ્માજી દ્વારા રચાયેલા પ્રકૃતિના નિયમો પ્રમાણે વર્ષમાં માત્ર બાર મહિના જ નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ એક વિશેષ ધાર્મિક ઉદ્દેશ્ય અને રાક્ષસરાજ હિરણ્યકશ્યપના અંત માટે આ તેરમા મહિનાની ઉત્પત્તિ થઈ હતી.

બ્રહ્માજીના અનોખા વરદાનથી અમર બની બેઠો હતો દૈત્યરાજ હિરણ્યકશ્યપ

પૌરાણિક કથા અનુસાર, દૈત્યરાજ હિરણ્યકશ્યપે અમર થવા માટે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરી હતી. બ્રહ્માજીએ અમરત્વનું સીધું વરદાન આપવાનો ઇનકાર કર્યો, ત્યારે હિરણ્યકશ્યપે ચતુરતાપૂર્વક એવું વરદાન માંગ્યું કે બ્રહ્માજી દ્વારા સર્જાયેલ કોઈ પણ પ્રાણી – દેવતા, અસુર, પશુ, પક્ષી કે મનુષ્ય તેને મારી ન શકે. તે ન તો દિવસના સમયે મરે ન રાત્રે. તેનું મૃત્યુ ન ઘરની અંદર થાય ન ઘરની બહાર. તે ન પૃથ્વી પર મરે ન આકાશમાં. વળી, તે કોઈ યુદ્ધમાં અસ્ત્ર કે શસ્ત્રથી પણ ન મરે અને બ્રહ્માજીના બનાવેલા બાર મહિનામાંથી એક પણ મહિનામાં તેનું મૃત્યુ ન થાય. બ્રહ્માજીએ તેને આ મનવાંચ્છિત વરદાન આપી દીધું, જેના કારણે તે સમગ્ર બ્રહ્માંડનો અજેય રાજા બની બેઠો.

ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપના વધ માટે રચવો પડ્યો અધિક માસ

આ શક્તિશાળી વરદાન મેળવ્યા પછી હિરણ્યકશ્યપ પોતાને જ ભગવાન માનવા લાગ્યો અને અત્યાચાર ગુજારવા લાગ્યો. તેનો પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો, જેના કારણે તેણે પ્રહલાદને અસહ્ય યાતનાઓ આપી. અંતે પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીના વરદાનની તમામ શરતોનું પાલન કરીને ‘નરસિંહ’ અવતાર ધારણ કર્યો. આ વધ માટે વિષ્ણુ ભગવાને બાર મહિના સિવાયના તેરમા મહિના તરીકે અધિક માસનું નિર્માણ કર્યું. ભગવાન નરસિંહ અડધા સિંહ અને અડધા મનુષ્ય હતા એટલે કે તે ન સુર હતા, ન અસુર કે ન પશુ. વધનો સમય સંધ્યાકાળનો હતો એટલે કે ન તો દિવસ હતો ન રાત. તેને મહેલની અંદર કે બહાર નહીં, પરંતુ ઘરના ઉંબરા પર એટલે કે ચોખટ પર રાખવામાં આવ્યો હતો અને ભગવાન નરસિંહે તેને પોતાની જાંઘ પર સુવાડીને નખ દ્વારા તેનું પેટ ચીરી નાખ્યું, જે ન આકાશ હતું ન પૃથ્વી અને ન તો કોઈ અસ્ત્ર-શસ્ત્રનો ઉપયોગ થયો હતો.

આખરે કઈ રીતે મલમાસ બની ગયો ભગવાન કૃષ્ણનો પ્રીય પુરુષોત્તમ માસ

હિરણ્યકશ્યપના વધના ઉદ્દેશ્યથી બનેલો આ તેરમો મહિનો શરૂઆતમાં અશુદ્ધ ગણાયો અને તે મલમાસ તરીકે ઓળખાયો. વર્ષના અન્ય બાર મહિનાના કોઈ ને કોઈ સત્તાવાર દેવતા અધિપતિ હતા, પરંતુ આ મહિનાના સ્વામી બનવા માટે કોઈ દેવતા તૈયાર ન થયા. પોતાની આ ઉપેક્ષાથી દુઃખી થઈને મલમાસ તમામ ઋષિ-મુનિઓ સાથે ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યો અને પોતાની વ્યથા સંભળાવી. ત્યારબાદ ભગવાન વિષ્ણુ તેને ભગવાન શ્રીકૃષ્ણ પાસે લઈ ગયા. શ્રીકૃષ્ણે મલમાસની પીડા જોઈને તેને એક મોટું વરદાન આપ્યું અને કહ્યું કે, “આજથી હું પોતે તમારો સ્વામી છું અને તમે સમગ્ર સંસારમાં મારા સર્વોચ્ચ નામ ‘પુરુષોત્તમ માસ’ તરીકે ઓળખાશો.” શ્રીકૃષ્ણના આ વરદાન બાદ આ મહિનો આધ્યાત્મિક સાધના માટે સર્વશ્રેષ્ઠ બની ગયો, જો કે પુરુષોત્તમ માસ હોવા છતાં આ મહિના દરમિયાન લગ્ન, જનોઈ કે મકાન વાસ્તુ જેવા માંગલિક અને શુભ કાર્યો કરવા વર્જિત માનવામાં આવે છે.

👉 આ સમાચાર વાચો:
Agra Bedai Aloo Sabzi| આગ્રાની ગલીઓનો અસલી સ્વાદ! તાજમહેલ જેટલો જ પ્રખ્યાત છે અહીંનો આ ખાસ નાસ્તો, મુઘલ કાળ સાથે જોડાયેલા છે તાર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More