News Continuous Bureau | Mumbai
Akshaya tritiya : હિન્દૂ કેલેન્ડરનો બીજો મહિનો એટલે કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયા શુક્રવાર, 10 મે 2024 ના રોજ છે. આ દિવસે લોકો દિવાળી અને ધનતેરસની જેમ મોટાપાયે ખરીદી કરે છે. કારણ કે અક્ષય તૃતીયાની તિથિ ખરીદી માટે શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે અક્ષય તૃતીયાનું શું છે મહત્વ અને ઉપાય.. ( Kyare che Akshaya tritiya )
અક્ષય તૃતીયા દિવસે પશુરામ જયંતિ ઉજવવામાં આવે છે ( Parshuram Jayanti Akshaya tritiya )
આ ઉપરાંત અક્ષય તૃતીયા લગ્ન માટે શુભ સમય માનવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવામાં આવે છે. જ્યોતિષીઓ અનુસાર, અક્ષય તૃતીયાને સ્વયંસિદ્ધ મુહૂર્ત પણ કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે અક્ષય તૃતીયા પર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે અને આ દિવસે પશુરામ જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને સુખ અને સમૃદ્ધિ મળે છે.
અક્ષય તૃતીયા ના દિવસે સોનું ખરીદવા માટે આખો દિવસ શુભ ( Gold Akshaya tritiya )
આ વર્ષે અક્ષય તૃતીયા તિથિ 10 મેના રોજ વહેલી સવારે 4:17 વાગ્યે શરૂ થશે. જે બીજા દિવસે 11 મેના રોજ સવારે 2:50 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, અક્ષય તૃતીયા 10 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજાનો શુભ સમય સવારે 5.33 વાગ્યાથી છે. આ સમયગાળા દરમિયાન ભક્તો 12:18 વાગ્યા સુધી પ્રાર્થના કરી શકે છે. આ સમયગાળામાં પૂજા કરવાથી સાધકને શુભ ફળ મળશે. અક્ષય તૃતીયા પર સોનું ખરીદવા માટે આખો દિવસ શુભ રહેશે. અક્ષય તૃતીયા પર જવનું દાન કરવું એ સુવર્ણ દાન સમાન માનવામાં આવે છે. આ સાથે જમીન, સોનું, પંખો, છત્ર, પાણી, સત્તુ, કપડા વગેરેનું પણ આ દિવસે દાન કરી શકાય છે.
અક્ષય તૃતીયાના દિવસે કરો આ ઉપાય ( Akshaya tritiya Upay )
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયાનો દિવસ પૂજાની દૃષ્ટિએ ખૂબ જ ખાસ છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે. જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે તો અક્ષય તૃતીયાના દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કર્યા પછી શ્રી સૂક્તનો 11 વાર પાઠ કરો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે.
આ ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસે ‘ઓમ શ્રીં શ્રીયે નમઃ’ મંત્રનો જાપ કરવો પણ લાભકારી માનવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે આ મંત્રનો 5 થી 11 માળા જાપ કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી.
અક્ષય તૃતીયાના દિવસે કેસર અને હળદરથી દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે.
અક્ષય તૃતીયાના દિવસે ઘરમાં પૂજા સ્થાન પર એક નાળિયેર સ્થાપિત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)